Govt Scheme : હર ઘર નલ યોજના 2023, તમારા ઘર સુધી સરકાર પહોંચાડશે મીઠું પાણી, આ રીતે કરો ઓનલાઈન અરજી

આજે પણ દેશના કેટલાક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર વિવિધ પ્રકારના પ્રયાસો કરી રહી  છે. જેથી દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે. તાજેતરમાં સરકાર દ્વારા હર ઘર નલ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દેશના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં તમને હર ઘર નલ યોજનાની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

Govt Scheme : હર ઘર નલ યોજના 2023, તમારા ઘર સુધી સરકાર પહોંચાડશે મીઠું પાણી, આ રીતે કરો ઓનલાઈન અરજી
| Edited By: | Updated on: Oct 18, 2023 | 11:34 AM

કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર નલ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા દેશના દરેક ઘરમાં શુધ્ધ પાણી આપવામાં આવશે. જેના માટે સરકાર દરેક ઘરમાં નલ કનેક્શન આપશે. મહત્વનુક છે કે 2030 સુધીમાં આ યોજના હેઠળ દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચે તેવું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

હવે 2024માં બદલી દેવામાં આવી છે. હર ઘર નલ યોજનાને જલ જીવન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના થકી ગ્રામ્ય વિસ્તારોમાં શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે. હવે દેશના દરેક ઘરમાં પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે, જેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

આ ઉપરાંત આ યોજના દેશના નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો કરશે. હવે દેશના નાગરિકોને પાણી મેળવવા માટે દૂર જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રતિ વ્યક્તિ દીઠ 55 લિટરના દરે પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

હર ઘર નળ યોજનાનો ઉદ્દેશ્ય

હર ઘર નળ યોજનાનો ઉદ્દેશ્ય દેશના દરેક ગ્રામીણ વિસ્તારમાં દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે. આ યોજના દ્વારા સરકાર વર્ષ 2024 સુધીમાં દરેક ઘરમાં પીવાના પાણીનું કનેક્શન આપશે. હવે દેશના કોઈપણ નાગરિકને પીવાનું પાણી મેળવવા દૂર સુધી જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરે પીવાનું શુધ્ધ પાણી આપશે. તેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. આ ઉપરાંત આ યોજના દ્વારા સમયની પણ બચત થશે.

આ પણ વાંચો :  Govt Scheme :  Lek Ladki yojna દીકરીઓના ખાતામાં પૈસાનો થશે વરસાદ ! સરકારે આ ખાસ યોજના કરી શરૂ, જાણો સમગ્ર વિગત અને જરૂરી દસ્તાવેજ વિશે

હર ઘર નલ યોજના પાત્રતા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો

  • અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો આવશ્યક છે.
  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ઓળખ પ્રમાણ પત્ર
  • ઉંમરનો પુરાવો
  • આવકની રકમ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

હર ઘર નલ યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા

સૌ પ્રથમ તમારે જલ જીવન મિશનની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે .

  • હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમારે Apply Now ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • આ પેજ પર તમારે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે જેવી પૂછવામાં આવેલી તમામ મહત્વપૂર્ણ
  • માહિતી દાખલ કરવાની રહેશે.
  • હવે તમારે જરૂરી મહત્વના દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • આ પછી તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમે હર ઘર નલ યોજના હેઠળ અરજી કરી શકશો.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Published On - 9:00 am, Wed, 18 October 23