
પૃથ્વીની અંદર આવેલી ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય અથવા સરકે ત્યારે ભૂકંપ સર્જાય છે. ઘણી વખત આ કંપન માત્ર થોડા સેકન્ડ સુધી જ રહે છે, પરંતુ તેની અસર એટલી વિનાશક હોય છે કે આખાં શહેરો ખંડેરમાં ફેરવાઈ જાય છે. રિક્ટર સ્કેલ પર 7થી 9.5 સુધીની તીવ્રતાવાળા ભૂકંપ ભારે જાનહાનિ અને સંપત્તિના નુકસાન માટે જવાબદાર રહ્યા છે. નોંધનીય છે કે રિક્ટર સ્કેલ પર દરેક એક અંકનો વધારો કંપનની તીવ્રતામાં લગભગ 10 ગણો અને ઊર્જાના ઉત્સર્જનમાં લગભગ 32 ગણો વધારો દર્શાવે છે.
ઇતિહાસમાં એવા અનેક ભૂકંપ આવ્યા છે, જેણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે. ચાલો જાણીએ દુનિયાના 10 સૌથી શક્તિશાળી ભૂકંપ અને તેમની વિનાશક અસર વિશે.
આજ સુધીનો વિશ્વનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. ભૂકંપ બાદ લગભગ 25 મીટર ઊંચી સુનામી સર્જાઈ હતી, જેના મોજાં ચિલીથી હજારો કિલોમીટર દૂર હવાઈ, જાપાન અને ફિલિપાઈન્સ સુધી પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં અંદાજે 1,655થી 6,000 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 20 લાખ લોકો બેઘર બન્યા હતા. તે સમયના અંદાજ મુજબ લગભગ 550 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
‘ગ્રેટ અલાસ્કા અર્થક્વેક’ તરીકે ઓળખાતો આ ભૂકંપ ભારે ભૂસ્ખલન અને સુનામીનું કારણ બન્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં વસ્તી ઓછી હોવાથી 131 લોકોના મોત થયા હતા, પરંતુ એન્કોરેજ શહેરની ઇમારતો, રસ્તાઓ, બંદરો અને અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું.
આધુનિક ઇતિહાસની સૌથી વિનાશક કુદરતી આપત્તિઓમાંની એક ગણાતો આ ભૂકંપ સમુદ્રની અંદર આવ્યો હતો. ત્યારબાદ આવેલી ભયાનક સુનામીએ ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ સહિત 14 દેશોમાં વિનાશ વેર્યો હતો. આ દુર્ઘટનામાં અંદાજે 2,27,898 લોકોના મોત થયા હતા અને લાખો લોકો બેઘર બન્યા હતા.
આ ભૂકંપ પછી લગભગ 40 મીટર ઊંચી સુનામી આવી હતી, જેણે જાપાનના અનેક દરિયાકાંઠાના શહેરોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ જ સુનામીના કારણે ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાં રેડિયોએક્ટિવ લીકેજ થયું હતું. આ દુર્ઘટનામાં 22 હજારથી વધુ લોકોના મોત થયા અથવા તેઓ ગુમ થયા હતા. વિશ્વ બેંકના અંદાજ મુજબ આ આપત્તિથી લગભગ 235 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું.
રશિયાના પૂર્વીય વિસ્તારમાં આવેલા આ ભૂકંપ પછી 13 મીટર ઊંચી સુનામી સર્જાઈ હતી. સુનામીએ સેવેરો-કુરીલ્સ્ક શહેરને લગભગ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું હતું. આ દુર્ઘટનામાં આશરે 2,336 લોકોના મોત થયા હતા.
ચિલીની લગભગ 80 ટકા વસ્તીએ આ ભૂકંપની અસર અનુભવી હતી. ત્યારબાદ આવેલી સુનામીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વિનાશ સર્જ્યો હતો. આશરે 525 લોકોના મોત થયા હતા અને લગભગ 30 બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું હતું.
પ્રશાંત મહાસાગરના કિનારે આવેલા આ ભૂકંપ બાદ સુનામીએ ઇક્વાડોર અને કોલંબિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઐતિહાસિક નોંધો મુજબ આ દુર્ઘટનામાં અંદાજે 1,000થી 1,500 લોકોના મોત થયા હતા.
આ ભૂકંપ દરિયાકાંઠાના અત્યંત ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં આવ્યો હતો. ત્યારબાદ લગભગ 10 મીટર ઊંચી સુનામી સર્જાઈ હતી, પરંતુ વસ્તી ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટના દર્શાવે છે કે મજબૂત ભૂકંપ હોવા છતાં વસ્તી ઓછી હોય તો જાનહાનિ ઓછી થઈ શકે છે.
ભારતના ઇતિહાસના સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક આ ભૂકંપ હતો. તેનું કેન્દ્ર તિબેટની સરહદ નજીક હતું, પરંતુ સૌથી વધુ અસર આસામ અને ઉત્તર-પૂર્વ ભારત પર પડી હતી. ભારે ભૂસ્ખલન, નદીઓમાં કાટમાળ અને ત્યારબાદ આવેલા પૂરથી વ્યાપક નુકસાન થયું હતું. આ આપત્તિમાં અંદાજે 1,500થી 4,800 લોકોના મોત થયા હતા.
સમુદ્રની અંદર આવેલા આ શક્તિશાળી ભૂકંપની તીવ્રતા 8.6 હતી. જોકે તેની રચના અલગ પ્રકારની હોવાથી મોટી સુનામી સર્જાઈ નહોતી. તેમ છતાં હિંદ મહાસાગરના અનેક દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં માત્ર 10 લોકોના મોત થયા હતા અને મોટું નુકસાન ટળી ગયું હતું.
જાપાન દર વર્ષે સેંકડો ભૂકંપનો સામનો કરે છે, છતાં અન્ય ઘણા દેશોની સરખામણીએ ત્યાં જાનહાનિ ઓછી જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ આધુનિક ટેક્નોલોજી અને આગોતરી તૈયારી છે.
જાપાને સમુદ્રની અંદર S-Net નામનું અદ્યતન સેન્સર નેટવર્ક સ્થાપિત કર્યું છે, જે ભૂકંપ અને સુનામી અંગે સેકન્ડોથી લઈને મિનિટો પહેલાં ચેતવણી આપી શકે છે. આ સમય લોકોના જીવ બચાવવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ ઉપરાંત, જાપાનમાં તમામ મોટી ઇમારતો કડક ભૂકંપરોધી ધોરણો અનુસાર બનાવવામાં આવે છે. સ્ટીલના મજબૂત માળખા, રબર ડેમ્પર અને આધુનિક એન્જિનિયરિંગના કારણે ભારે આંચકા દરમિયાન પણ ઇમારતો ધરાશાયી થતી નથી.
શાળાઓ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ નિયમિત રીતે ભૂકંપથી બચાવની મોક ડ્રિલ યોજવામાં આવે છે. આ જ કારણ છે કે વારંવાર શક્તિશાળી ભૂકંપ આવતાં હોવા છતાં જાપાન જાનમાલના નુકસાનને મોટા પ્રમાણમાં ઘટાડવામાં સફળ રહ્યું છે.
કાફે ટેબલ પર ઘડાયું હતું કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું ? સિયા અને ચેતનના CCTV ફૂટેજ આવ્યા સામે