બ્રિટનમાં વધી ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી, વિદેશી બેંકની લોન ના ચુકવતા ઘર ખાલી કરવાની આવી નોબત

|

Jan 19, 2022 | 7:45 AM

લંડન હાઈકોર્ટના ચેન્સરી ડિવિઝનના જજ મેથ્યુ માર્શે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે માલ્યા પરિવારને બાકી રકમ ચૂકવવા માટે વધારાનો સમય આપવાનું કોઈ કારણ નથી.

બ્રિટનમાં વધી ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી, વિદેશી બેંકની લોન ના ચુકવતા ઘર ખાલી કરવાની આવી નોબત
vijay mallya ( PS : livemint)

Follow us on

બ્રિટનમાં પણ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની (Vijay Mallya) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.બ્રિટનની કોર્ટે મંગળવારે ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને લંડનમાં તેમના આલીશાન મકાનમાંથી બહાર કાઢવાના આદેશ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. સ્વિસ બેંક UBS સાથે લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં માલ્યાનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માલ્યાએ આ આદેશના પાલન પર સ્ટે માંગ્યો હતો. માલ્યાના આ ઘરમાં હાલમાં તેની 95 વર્ષીય માતા ઘરમાં રહે છે.

સ્વિસ બેંક UBS સાથે ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં થોડા સમય પહેલા માલ્યાનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે માલ્યાએ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, બ્રિટિશ કોર્ટે મંગળવારે લંડનના વૈભવી ઘરમાંથી બહાર કાઢવાના આદેશ પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી હતી.

લંડન હાઈકોર્ટના ચેન્સરી ડિવિઝનના જજ મેથ્યુ માર્શે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે માલ્યા પરિવારને બાકી રકમ ચૂકવવા માટે વધારાનો સમય આપવાનું કોઈ કારણ નથી. મતલબ કે માલ્યાને આ પ્રોપર્ટીમાંથી બહાર કરી શકાય છે. નોંધપાત્ર વાત એ છે કે માલ્યાએ આ સ્વિસ બેંકની 2.04 કરોડ પાઉન્ડની લોન પરત કરવાની છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

માલ્યાની 95 વર્ષીય માતા લંડનના આ ઘરમાં રહે છે. માલ્યા માર્ચ 2016માં યુકે ભાગી ગયો હતો. તે 9,000 કરોડ રૂપિયાની લોનની ગેરરીતિ અને મની લોન્ડરિંગના કેસમાં ભારતમાં વોન્ટેડ છે. આ ઘણી બેંકોએ આ લોન કિંગફિશર એરલાઈન્સને આપી હતી. 65 વર્ષીય માલ્યા હાલમાં બ્રિટનમાં જામીન પર બહાર છે. એવું માનવામાં આવે છે કે પ્રત્યાર્પણ પ્રક્રિયા સંબંધિત એક અલગ કેસમાં દેશમાં આશ્રયના મુદ્દા પર ગોપનીય કાનૂની કાર્યવાહીના નિરાકરણ સુધી તે જામીન પર રહી શકે છે.

નોંધનીય છે કે, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભાગેડુ કેસમાં સુનાવણી જસ્ટિસ યુ યુ લલિત અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેન્ચની ગેરહાજરીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ભારતથી ભાગી ગયા બાદ બ્રિટનમાં રહેતા ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે કાર્યવાહીના કેસની સુનાવણી કરવાની હતી. કોર્ટે આ નિર્ણય 30 નવેમ્બર 2021ના રોજ વિદેશ મંત્રાલય પાસેથી મળેલી માહિતીના આધારે લીધો હતો. સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચ સમક્ષ વિદેશ મંત્રાલયની એક નોંધ રજૂ કરી, જે મુજબ માલ્યાનું પ્રત્યાર્પણ તેના અંતિમ તબક્કામાં છે.

માલ્યાએ યુકેમાં તેના તમામ કાયદાકીય ઉપાયો પૂર્ણ કરી લીધા છે. વધુ ગુપ્ત માહિતી આપવામાં આવી છે. કોર્ટે વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તા અને એમિકસ ક્યુરીની પણ નિમણૂક કરી છે. જસ્ટિસ લલિતે કહ્યું કે અમે લાંબા સમયથી રાહ જોઈ છે. તે દિવસના પ્રકાશની જેમ સ્પષ્ટ છે કે જો આ વ્યક્તિએ કાર્યવાહીમાં ભાગ લેવો હોત તો તે અહીં આવ્યો હોત, પરંતુ તેણે તેના વકીલને મોકલ્યા છે. જો માલ્યા ઇચ્છે તો તેનો લેખિત જવાબ આપી શકે છે. જો માલ્યા પોતે નહીં આવે તો તેના વકીલો દલીલો કરશે.

આ પણ વાંચો : 2 અબજ વર્ષ પૂર્વે અસ્તિત્વ પામેલા Black Diamond ને હાંસલ કરવાની તમારી ઈચ્છા પુરી થઈ શકે છે,જોકે કિંમત સાંભળી વિચાર માંડી વાળવાનું મન થશે

આ પણ વાંચો : બજારમાં લેમિનેશનની દુકાનમાં Smart Aadhaar Card બનાવવું જોખમી સાબિત થઇ શકે છે, જાણો કઈ રીતે?

Next Article