ચીનનો મસૂદ પર ‘વિશેષ પાવર’, અઝહર મસૂદને વૈશ્વિક આંતકી જાહેર કરવામાં ફરી એક વખત ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો

|

Mar 14, 2019 | 2:05 AM

ભારતના પડોશી દેશ ચીનને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર મસૂદ પર વધુ પડતી લાગણી હોય તેમ જ લાગી રહ્યું છે. જૈશના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસ ચીન દ્વારા પાણી ફેરવી દેવામાં આવ્યું છે. UNમાં મસૂદને આતંકવાદી જાહેર કરવાના વિરોધમાં ચીને પોતાનો વિટો પાવરનો ઉપયોગ કરી પ્રસ્તાવને જ ફગાવી દીધો છે. જૈશના પ્રમુખ મસૂદને વૈશ્વિક […]

ચીનનો મસૂદ પર વિશેષ પાવર, અઝહર મસૂદને વૈશ્વિક આંતકી જાહેર કરવામાં ફરી એક વખત ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો

Follow us on

ભારતના પડોશી દેશ ચીનને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર મસૂદ પર વધુ પડતી લાગણી હોય તેમ જ લાગી રહ્યું છે. જૈશના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસ ચીન દ્વારા પાણી ફેરવી દેવામાં આવ્યું છે. UNમાં મસૂદને આતંકવાદી જાહેર કરવાના વિરોધમાં ચીને પોતાનો વિટો પાવરનો ઉપયોગ કરી પ્રસ્તાવને જ ફગાવી દીધો છે.

જૈશના પ્રમુખ મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની સુનાવણી UNમાં હાથ ધરવામાં આવી હતી, મસૂદને આતંકી જાહેર કરવાના પક્ષમાં ચીન સિવાય અમેરિકા, બ્રિટન સહિતના દેશો હતા, પરંતુ ચીને છેલ્લે પોતાનો વિટો પાવર વાપરીને મસૂદને આતંકી જાહેર થવાથી બચાવી લીધો છે. જે સાથે જ ચીનનો ભારત પ્રત્યેનો કુનેહ ફરી એક વખત સામે આવ્યો છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

ખાસ વાત એ છેકે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ભારતની આ પહેલમાં અમેરિકાએ સાથ આપ્યો હતો. જેના અંગે અમેરિકાએ કહ્યું હતું કે મસૂદે ભારતની સરહદે આતંક ફેલાવી રાખ્યો છે. થોડા દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકીની યાદીમાં સામેલ કરવા અને અલકાયદાને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: કોંગ્રેસે જાહેર કરી 21 ઉમેદવારોની બીજી યાદી, મુરાદાબાદથી ચૂંટણી લડશે અભિનેતા રાજ બબ્બર

ગત મહિને 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા લેવામાં આવી હતી. જે પછી વૈશ્વિક દબાણ હેઠળ પાકિસ્તાન વિરૂધ્ધ ભારતે કડક વલણ અપનાવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article