ભારત સામે ટક્કર લેતા લેતા ખુદ ફસાઈ ગયા ટ્રુડો, હવે PMની ખુરશી બચાવવી પડી ભારે

|

Sep 25, 2024 | 3:03 PM

વિપક્ષે કેનેડિયન પીએમ ટ્રુડોની સત્તાને ઉથલાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ટ્રુડો સામે અવિશ્વાસની દરખાસ્ત આવી છે જેના પર બુધવારે મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા ટ્રુડો માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

ભારત સામે ટક્કર લેતા લેતા ખુદ ફસાઈ ગયા ટ્રુડો, હવે PMની ખુરશી બચાવવી પડી ભારે

Follow us on

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અવારનવાર ભારત વિરોધી નિવેદનો આપે છે. ગયા વર્ષે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ, જસ્ટિન ટ્રુડોએ ભારતની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જસ્ટિન ટ્રુડો, જેઓ સમયાંતરે એવા મુદ્દાઓ પર નિવેદનો આપે છે જે ભારતને ગમતું નથી, તેમના પોતાના દેશમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. નિજ્જર પરના તેમના નિવેદન પર કન્ઝર્વેટિવ પાર્ટીના વડા અને વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે કહ્યું હતું કે ટ્રુડો ભારત સાથેના સંબંધોનું મૂલ્ય સમજી શક્યા નથી. હવે ટ્રુડોની સરકારને ઉથલાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે.

કેનેડા તેના સરળ વિઝા, ઇમિગ્રેશન પોલિસી અને વિદેશી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી માટે જાણીતું છે. કેનેડામાં પરમેનન્ટ રેસીડેન્સી (PR) મેળવવી પણ બહુ મુશ્કેલ નથી. પરંતુ ટ્રુડો શાસનના છેલ્લા કેટલાક વર્ષોમાં, ફુગાવો આસમાને પહોંચવા લાગ્યો છે, ઘરની કિંમતો વધી છે અને ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ કારણે માત્ર વિદેશી કુશળ કર્મચારી અને વિદ્યાર્થીઓ જ નહીં પણ કેનેડિયનોને પણ ટ્રુડોથી મોહભંગ થઈ ગયા છે અને સત્તામાંથી હાંકી કાઢવાના આરે છે.

TMKOC ની એકટ્રેસ બબીતાજીના પસંદના રસગુલ્લા આ રીતે બનાવો
Navratri 2024 : નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની મૂર્તિ કઈ દિશામાં સ્થાપિત કરવી, તેનો સાચો નિયમ શું છે?
BSF અને CRPF માં શું અંતર છે? જાણો કોને કેટલી મળે છે સેલરી
આજનું રાશિફળ તારીખ : 25-09-2024
જાહ્નવી શ્રીમાંકર અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે
શું તમને પણ રહે છે Dry Eyesની સમસ્યા? તો જાણો ઘરેલુ ઉપચાર

વિપક્ષના નેતા પોઈલીવરે મંગળવારે હાઉસ ઓફ કોમન્સની બેઠકમાં ટ્રુડો સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી અને સાંસદોને લિબરલ સરકારને હટાવવા વિનંતી કરી.

વિચારધારા વિરુદ્ધ નિર્ણયો લેવા

આવતા વર્ષે કેનેડામાં વડાપ્રધાન માટે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડોને પાછળ દર્શાવવામાં આવ્યા છે. ટ્રુડોએ પણ તેમની સામે વધી રહેલા ગુસ્સાને અનુભવ્યો છે અને પાર્ટીની વિચારધારાથી પર રહીને નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે.


વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કેનેડાની લિબરલ પાર્ટીમાંથી આવે છે, લિબરલ પાર્ટીને સેન્ટર લેફ્ટ ગણવામાં આવે છે, જે સમાજવાદની વિચારધારાને અનુસરે છે. તાજેતરમાં ટ્રુડોએ જાહેરાત કરી છે કે, તેઓ વર્ક પરમિટ અને સ્ટુડન્ટ વિઝામાં ઘટાડો કરશે, જે બાદ કેનેડામાં સારા જીવનનું સ્વપ્ન જોનારા ભારતીયો સહિત ઘણા વિકાસશીલ દેશોના વિદ્યાર્થીઓ અને યુવાનોને આંચકો લાગ્યો છે. આ સિવાય ત્યાં કામ કરતા લોકો પર પણ નોકરી છીનવાઈ જવાનો ખતરો છે.

વિપક્ષો વર્ચસ્વ, સાથીઓ છોડી રહ્યાં છે સાથ

કેનેડામાં મકાનોની કિંમતોમાં વધારો, મોંઘવારી અને બેરોજગારીથી કેનાડાના લોકોમાં ટ્રુડો સામે રોષ વધવા લાગ્યો છે. તેમના હરીફ પિયર પોઈલીવરે આ તકનો લાભ લેવા માટે કોઈ કસર છોડી નથી અને વિવિધ સ્થળોએ ટ્રુડોની નીતિઓનો ભારે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સર્વે કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણમાં રહ્યા છે અને જો આગામી ચૂંટણી સુધી આ સ્થિતિ ચાલુ રહેશે તો કેનેડામાં કન્ઝર્વેટિવ બહુમતીવાળી સરકાર બની શકે છે.

ટ્રુડોની પાર્ટી સાથેના ગઠબંધનમાં સામેલ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ તેમની સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. એનડીપીના પ્રમુખ જગમીત સિંહ ભારતીય મૂળના શીખ છે. જગમીત સિંહને ભારતમાં ખાલિસ્તાની સમર્થક તરીકે પણ જોવામાં આવે છે, પરંતુ ટ્રુડોની ખાલિસ્તાની હિમાયત છતાં તેણે લિબરલ પાર્ટીમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે.


જગમીત સિંહ પોઈલીવરના વિરોધી પણ છે અને તેમની વિરુદ્ધ નિવેદનો પણ આપતા રહે છે. પિયર પોઈલીવરેની હેલ્થ કેર પોલિસી પર બોલતા, જગમીતે કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો તેઓ આરોગ્ય સંભાળ પ્રણાલીને તોડી નાખશે જેથી તમને બીમારીના કિસ્સામાં સારી સંભાળ ના મળી શકે. જગમીતે આરોપ લગાવ્યો કે પિયર પોઈલીવરે તમારા પૈસા દેશના કેટલાક અમીર લોકોને આપવા માંગે છે.

ટ્રુડોનો વિરોધ ભારતીયો માટે નુકસાનકારક સાબિત થશે

વડા પ્રધાન પદ માટે કેનેડાના મુખ્ય વિપક્ષી નેતા, પિયરે પોઇલીવરની લોકપ્રિયતા વધી રહી છે. પરંતુ નિષ્ણાતો તેને સ્થળાંતર કરનારાઓ માટે જોખમી માને છે, તે કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આવે છે. જે કેન્દ્રીય જમણેરી પક્ષ છે અને તેની નીતિઓ ઈમિગ્રન્ટ વિરોધી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો પિયર સત્તામાં આવશે તો તેઓ વિદેશી કુશળ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વિરુદ્ધ ઘણી નીતિઓ લાગુ કરી શકે છે.

Next Article