Sweden News: નોબેલ પ્રાઈઝ 2023ના વિજેતાઓની ઈનામની રકમમાં કરવામાં આવ્યો વધારો, જાણો શું છે કારણ

|

Sep 17, 2023 | 5:51 PM

નોબેલ ફાઉન્ડેશન અનુસાર, આ વર્ષના પુરસ્કાર વિજેતાઓને એક કરોડ દસ લાખ સ્વીડિશ ક્રાઉન આપવામાં આવશે , જે અંદાજે રૂ. આઠ કરોડ દસ લાખની સમકક્ષ છે. નોબેલ પારિતોષિક વિજેતાઓને આપવામાં આવતી રકમમાં તાજેતરના વર્ષોમાં ફાઉન્ડેશનની નાણાકીય સ્થિતિને અનુરૂપ એક કરતા વધુ વખત ફેરફાર કરવામાં આવ્યો છે.

Sweden News: નોબેલ પ્રાઈઝ 2023ના વિજેતાઓની ઈનામની રકમમાં કરવામાં આવ્યો વધારો, જાણો શું છે કારણ

Follow us on

Nobel Prize 2023 : નોબેલ ફાઉન્ડેશને આ વર્ષના વિજેતાઓ માટે ઈનામની રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, આપેલી રકમમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, વધતા મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને, સ્વીડનમાં આ રકમ ફરી એકવાર વધારવામાં આવી રહી છે. જો કે, યુરો અને યુએસ ડોલર સામે સતત ગગડી રહેલી સ્વીડિશ કરન્સી એક સમસ્યા તરીકે ઉભરી આવી છે.

વિશ્વના સૌથી મોટા એવોર્ડ ઈવેન્ટ નોબેલ પ્રાઈઝ એવોર્ડને લઈને આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓની ઈનામની રકમ આ વર્ષથી વધારી દેવામાં આવી છે.

જાણો કેટલી રકમ આપવામાં આવશે

નોબેલ ફાઉન્ડેશન અનુસાર, તે આ વર્ષથી નોબેલ પુરસ્કારની રકમ 1 મિલિયન ક્રોનરથી વધારીને 11 મિલિયન ક્રોનર કરવા જઈ રહ્યું છે . જે ભારતીય રૂપિયામાં 8,19,49,519 રૂપિયા બરાબર છે . હવે ફાઉન્ડેશન પ્રમાણે પૈસા વધારવું યોગ્ય રહેશે. સ્વીડિશ ચલણના મૂલ્યમાં ઘટાડા પછી, તે યુરો અને યુએસ ડૉલરની સામે ખૂબ જ નીચા સ્તરે આવી ગયું છે. સ્વીડન સતત ઊંચા ફુગાવાના દર સાથે સંઘર્ષ કરી રહ્યું છે. દેશમાં ફુગાવાનો દર ઓગસ્ટમાં 7.5 ટકા હતો જ્યારે જુલાઈમાં 9.3 ટકા ફુગાવાનો દર નોંધાયો હતો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ પણ વાંચો : પેરિસમાં ફરવા માટેના 10 બેસ્ટ સ્થાનો વિશે જાણો-જુઓ Photos

10મી ડિસેમ્બરે આપવામાં આવશે એવોર્ડ

આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત આવતા મહિને કરવામાં આવશે અને વિજેતાઓને 10 ડિસેમ્બરે એક ભવ્ય એવોર્ડ એનાયત કરવામાં આવશે. નોબેલ પુરસ્કાર સમારોહ 10 ડિસેમ્બરના રોજ આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિએ યોજવામાં આવે છે. નોબેલ શાંતિ પુરસ્કારો નોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાય છે, જ્યારે અન્ય એવોર્ડ સમારંભો સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં યોજાય છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article