
Surgical Strike Breaking News: સરકારી ઈમારત પાસે થયેલા આત્મઘાતી હુમલા બાદ તુર્કીએ તેની જવાબદારી લેનાર સંગઠનના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. યુદ્ધ વિમાનોએ ઉત્તરી ઇરાકમાં 20થી વધુ શંકાસ્પદ લક્ષ્યો પર બોમ્બમારો કર્યો હતો. આત્મઘાતી હુમલાની જવાબદારી કુર્દિશ વિદ્રોહી સંગઠન કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી અથવા પીકેકેએ લીધી હતી.
તુર્કી આ સંગઠનને આતંકવાદી સંગઠન માને છે. હુમલા બાદ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં PKKની ગુફાઓ, આશ્રયસ્થાનો અને ડેપોનો નાશ કરવામાં આવ્યો હતો. આ પહેલા એક આત્મઘાતી બોમ્બરે આંતરિક બાબતોના મંત્રાલયના એન્ટ્રી પોઈન્ટ પાસે વિસ્ફોટકોથી હુમલો કર્યો હતો. તુર્કીના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્યાં બે આતંકવાદીઓ હતા, જેમાંથી એકે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો અને બીજાને ત્યાં હાજર સુરક્ષા દળોએ માર્યો હતો. હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. પીકેકેએ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી.
તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે અંકારા બોમ્બ ધડાકા કરનારા હુમલાખોરો નાગરિકોની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકવાના તેમના નવીનતમ પ્રયાસોમાં નિષ્ફળ ગયા હતા. જેઓ નાગરિકોની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે તેઓ તેમના લક્ષ્યને હાંસલ કરી શક્યા નથી અને તેઓ ક્યારેય કરી શકશે નહીં.
તુર્કી સીરિયા સ્થિત વાયપીજીને પીકેકેના વિસ્તરણ તરીકે જુએ છે, જેને તુર્કી, યુએસ અને યુરોપિયન યુનિયન દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. PKK 1984થી તુર્કી વિરુદ્ધ બળવો ચલાવી રહ્યું છે. તેના સંઘર્ષમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે ઈસ્તાંબુલમાં આત્મઘાતી હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા હતા. જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા છે. તુર્કીએ આ માટે YPG અને PKKને જવાબદાર ઠેરવ્યા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રવિવારના હુમલા પહેલા, આતંકવાદીઓએ અંકારાથી 300 કિલોમીટર દૂર એક વાહનને હાઇજેક કર્યું હતું, જેનો ઉપયોગ કરીને તેઓ અંકારામાં સરકારી બિલ્ડિંગની નજીક પહોંચ્યા હતા. તેઓએ વાહનના ચાલકને ગોળી મારી અને તેની લાશને ખાડામાં ફેંકી દીધી. તેઓએ સરકારી ઈમારતની નજીક હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તુર્કીના રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર તેઓ નિષ્ફળ રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:21 am, Mon, 2 October 23