Sri Lanka: આર્થિક સંકટમાં સપડાયેલ શ્રીલંકાના સમગ્ર મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, મહિન્દા રાજપક્ષે રહેશે PM

|

Apr 04, 2022 | 6:53 AM

અગાઉ, શ્રીલંકાની પોલીસે રવિવારે પેરાડેનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ટીયર ગેસ છોડ્યો હતો જેમણે કેન્દ્રીય પ્રાંતમાં કર્ફ્યુ હોવા છતાં સરકાર સામે વિરોધ કર્યો હતો.

Sri Lanka: આર્થિક સંકટમાં સપડાયેલ શ્રીલંકાના સમગ્ર મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, મહિન્દા રાજપક્ષે રહેશે PM
Mahinda Rajapaksa (Social Media)

Follow us on

આર્થિક કટોકટીમાં સપડાયેલા શ્રીલંકા (Sri Lanka)માં હિંસા અને રાજકીય અટકળો વચ્ચે, સમગ્ર કેબિનેટે મોડી રાત્રે સામૂહિક રાજીનામું આપ્યું છે. વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે (Mahinda Rajapaksa)એ રાજીનામું આપ્યું નથી. ગૃહના નેતા અને શિક્ષણ પ્રધાન દિનેશ ગુણવર્ધનેએ જણાવ્યું કે કેબિનેટે વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેને રાજીનામું સોંપ્યું છે. તેણે આનું કારણ જણાવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં ટૂંક સમયમાં સર્વપક્ષીય સરકાર બનવા જઈ રહી છે, જેમાં વિપક્ષના નેતાઓને પણ સામેલ કરવામાં આવશે. તમામ પક્ષો તરફથી એવી દરખાસ્તો આવી હતી કે રાજકીય સ્થિરતા જાળવવા માટે નવી વચગાળાની સરકારની જરૂર છે.

અગાઉ, શ્રીલંકાની પોલીસે રવિવારે પેરાડેનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ટીયર ગેસ છોડ્યો હતો જેમણે કેન્દ્રીય પ્રાંતમાં કર્ફ્યુ હોવા છતાં સરકાર સામે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ સર્વપક્ષીય સરકાર બનાવવાની માગ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પેપરના ખર્ચમાં વધારો થવાને કારણે પરીક્ષાઓ લેવામાં આવતી નથી. આ પહેલા સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો હતો.

પુત્ર નમલ રાજપક્ષેએ પણ આપી દીધું છે રાજીનામું

વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે સિવાય તમામ કેબિનેટ પ્રધાનોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષે પણ પોતાના તમામ વિભાગોમાંથી રાજીનામું આપી દીધું છે. નમલ રાજપક્ષેએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે “મેં રાષ્ટ્રપતિને તાત્કાલિક અસરથી તમામ વિભાગોમાંથી મારા રાજીનામાની જાણ કરી છે, આશા છે કે આનાથી શ્રીલંકાની જનતા અને સરકારને મહામહિમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને દેશમાં સ્થિરતા સ્થાપિત કરવામાં મદદ મળશે.”હું અને મારી પાર્ટી અમારા મતદારો માટે પ્રતિબદ્ધ છીએ.”

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

36 કલાકનો કર્ફ્યુ આજે સવારે સમાપ્ત થશે

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સરકારે શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે (4 એપ્રિલ) સવારે 6 વાગ્યા સુધી 36 કલાકનો કર્ફ્યુ પણ લાદ્યો હતો.

સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવ્યો

દરમિયાન, શ્રીલંકાની સરકારે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. દેશમાં સરકાર વિરોધી પ્રદર્શન પહેલા રાષ્ટ્રવ્યાપી જાહેર કટોકટી જાહેર કરવામાં આવી હતી અને 36 કલાકનો કર્ફ્યુ તેમજ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા.

પ્રતિબંધ હટાવવા અંગે એક અધિકારીએ જણાવ્યું કે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટોકટોક, સ્નેપચેટ, વોટ્સએપ, વાઇબર, ટેલિગ્રામ અને ફેસબુક મેસેન્જરની સેવાઓ 15 કલાક પછી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ સેવાઓ સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અવરોધિત કરવામાં આવી હતી.

અગાઉ, ‘કોલંબો પેજ’ અખબારે અહેવાલ આપ્યો હતો કે કલાકોના પાવર કટ વચ્ચે ખોરાક, આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને દવાઓની અછતથી પીડિત લોકોને રાહત આપવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં લોકોને એકઠા થવાથી રોકવામાં આવ્યા હતા. સાયબર સિક્યોરિટી અને ઈન્ટરનેટ વોચડોગ નેટબ્લોક્સે રવિવારે શ્રીલંકામાં મધ્યરાત્રિ પછી ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, વાઈબર અને યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના પ્રતિબંધો હટાવવાની પુષ્ટિ કરી છે.

રાષ્ટ્રપતિ નિવાસની બહાર વિરોધ પ્રદર્શન

કર્ફ્યુ હોવા છતાં, રવિવારે સાંજે વ્યાપક દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી કટોકટી લાદવાની ઘોષણા કરી હતી.

કર્ફ્યુના આદેશોને અવગણતા, શ્રીલંકાના પ્રમુખ વિપક્ષ સમાગી જાના બાલવેગયાના ધારાસભ્યોએ કટોકટીની સ્થિતિ અને અન્ય પ્રતિબંધો લાદવાના રાષ્ટ્રપતિ રાજપક્ષેના પગલા સામે કોલંબોમાં સરકાર વિરોધી વિરોધ કર્યો.

કર્ફ્યુ છતાં વિરોધ

દરમિયાન, પોલીસે દેશના બીજા સૌથી મોટા શહેર કેન્ડીના બાહરના વિસ્તારોમાં પેરેડેનિયા યુનિવર્સિટી નજીક કર્ફ્યુનો વિરોધ કરી રહેલા સંશોધકો અને અન્ય વિદ્યાર્થીઓ પર ટીયર ગેસ છોડ્યો હતો. વિપક્ષ સમાગી જાના બાલવેગય પાર્ટીના સાંસદ લક્ષ્મણ કિરીએલાએ કહ્યું કે પોલીસે વિદ્યાર્થીઓને પાછળ ધકેલી દીધા. આ સંદર્ભે પૂછવામાં આવતા પોલીસે જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો: Chaitri Navratri : જો આદ્યશક્તિનો આ ઉપાય કરી લેશો, તો ક્યારે નહીં થાય ઘરમાં કલેશ

આ પણ વાંચો: પાઈનેપલથી રાખો વાળ અને ત્વચાની કાળજી, આ રીતે બનાવો તેના નેચરલ પેક

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

Next Article