PTIના વરિષ્ઠ નેતાનો દાવો, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો, હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું

|

Mar 31, 2022 | 7:29 AM

ઈમરાન ખાન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તાજેતરની માહિતી અનુસાર, ઈમરાન ખાનને 155 સભ્યોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ પાસે 186 સભ્યોનું સમર્થન છે.

PTIના વરિષ્ઠ નેતાનો દાવો, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો, હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું
Pakistan PM Imran Khan (File)

Follow us on

 પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(Pakistan Tehreek-e-Insaf)ના વરિષ્ઠ નેતા ફૈઝલ વાવડાએ દાવો કર્યો છે કે વડાપ્રધાન ઈમરાન ખાન(Prime Minister Imran Khan) ના જીવને ખતરો છે કારણ કે તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ સમાચાર પાકિસ્તાનના ARY ન્યૂઝે ટાંક્યા છે. આ સાથે જ પાકિસ્તાન(Pakistan) માં રાજકીય ઉથલપાથલ તેજ થઈ ગઈ છે. બુધવારે વિપક્ષે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સરકારના સહયોગી MQMએ વિપક્ષ સાથે જવાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાનમાં ચાલી રહેલા અશાંતિ વચ્ચે આજે ઈમરાન ખાન દેશને સંબોધન કરવાના હતા, પરંતુ હવે તેમનું સંબોધન રદ કરવામાં આવ્યું છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે આ કાર્યક્રમમાં ઈમરાન ખાન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. તાજેતરની માહિતી અનુસાર, ઈમરાન ખાનને 155 સભ્યોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ પાસે 186 સભ્યોનું સમર્થન છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

ઈમરાન ખાનને સત્તામાં રહેવા માટે 342 સભ્યોના ગૃહમાં 172 મતોની જરૂર છે. ગૃહમંત્રી શેખ રશીદે કહ્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન 3 એપ્રિલે થશે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારને તોડી પાડવા માટે જોરદાર પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM), જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ (JUI-I) નો સમાવેશ થાય છે, એ સોમવારે રાત્રે ઇસ્લામાબાદમાં શ્રીનગર હાઇવે પર એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથી અને મુખ્ય ગઠબંધન ભાગીદાર મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM) વિપક્ષી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સાથે કરાર કર્યા પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન રાજીનામું આપે તેવી શક્યતા છે.

હું છેલ્લી ઓવર, છેલ્લા બોલ સુધી રમીશઃ ઈમરાન ખાન

વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાના સમાચાર વચ્ચે ઈમરાન ખાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ આ પદ છોડશે નહીં. કેબિનેટ બેઠકમાં ઈમરાને કહ્યું કે હું આજે રાજીનામું નહીં આપીશ, હું છેલ્લી ઓવર, છેલ્લા બોલ સુધી રમીશ. તે જ સમયે, વિપક્ષના નેતા શાહબાઝ શરીફે કહ્યું છે કે આજનો દિવસ પાકિસ્તાનની તારીખનો મહત્વપૂર્ણ દિવસ છે. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ શરીફને દેશના નવા વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો-Pakistan Imran Khan: ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રાજીનામું આપશે ! આજે પાકિસ્તાનને કરશે સંબોધન

Next Article