Russia Ukraine War: યુક્રેનને પુતિનની ચેતવણી, કહ્યું- શસ્ત્રો મૂકી અને ક્રેમલિનની તમામ માંગણીઓ પૂરી કરશે તો જ યુદ્ધ અટકશે

|

Mar 06, 2022 | 11:01 PM

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તેની કોઈ માહિતી નથી.

Russia Ukraine War: યુક્રેનને પુતિનની ચેતવણી, કહ્યું- શસ્ત્રો મૂકી અને ક્રેમલિનની તમામ માંગણીઓ પૂરી કરશે તો જ યુદ્ધ અટકશે
Vladimir Putin - File Photo

Follow us on

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) રવિવારે યુક્રેનને ચેતવણી આપી હતી કે જ્યારે કિવ શસ્ત્રો નીચે મૂકશે અને ક્રેમલિનની તમામ માંગણીઓ પૂરી કરશે ત્યારે જ રશિયાનું ‘લશ્કરી ઓપરેશન’ બંધ થશે. પુતિનની ધમકી તુર્કીના વડાપ્રધાન તૈયપ એર્દોગન સાથે ટેલિફોન વાતચીત દરમિયાન આવી હતી. પુતિને સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ તેમની શરતો સ્વીકારે તો તેઓ યુક્રેનથી (Ukraine) હટવા માટે તૈયાર છે. યુક્રેનની સેના દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં દાવો કરવામાં આવ્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.

કિવની પશ્ચિમ સાથેની નિકટતા અને નાટોમાં જોડાવાના તેના પગલા અંગે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો. એક દિવસ પછી, રશિયાએ કહ્યું કે જો યુક્રેન તેના શસ્ત્રો મૂકે તો તે વાત કરવા માટે તૈયાર છે. મોસ્કોએ ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી યુક્રેનની સૈન્ય ક્ષમતાઓનો નાશ ન થાય અને દેશને નાઝીઓથી મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી તેના હુમલાઓ સમાપ્ત થશે નહીં.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તેની કોઈ માહિતી નથી. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 1.5 મિલિયન લોકો દેશ છોડી ચૂક્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

યુક્રેનથી લોકો પોલેન્ડમાં પ્રવેશી રહ્યા છે

યુનાઈટેડ નેશન્સે કહ્યું કે યુક્રેન છોડનારાઓમાંથી અડધાથી વધુ પોલેન્ડમાં પ્રવેશી ચૂક્યા છે. યુક્રેનિયનો આ દેશોમાંથી થઈને અન્ય યુરોપિયન દેશોમાં જઈ રહ્યા છે. યુએનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે યુક્રેનથી શરણાર્થીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. તમને જણાવી દઈએ કે યુક્રેન છોડીને બીજા દેશોમાં શરણાર્થી બની ગયેલા લોકોની સંખ્યા યુક્રેનની 44 મિલિયન વસ્તીના માત્ર બે ટકા છે. તે જ સમયે, મોટી સંખ્યામાં લોકો ઘર, આશ્રયસ્થાનો, મેટ્રો સ્ટેશનો અને વ્યવસાયિક સંસ્થાઓમાં ફસાયેલા છે.

રશિયન હુમલા બાદ યુક્રેનમાં 351 નાગરિકો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે શનિવારે આ વાતની પુષ્ટિ કરી છે. જિનીવા સ્થિત ઓફિસે જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 707 નાગરિકો ઘાયલ થયા છે. યુએનએચસીઆરએ જણાવ્યું હતું કે ડોનેસ્ક અને લુહાન્સ્ક પ્રદેશોમાં 86 લોકો માર્યા ગયા હતા અને 385 ઘાયલ થયા હતા. વધુમાં જણાવવામાં આવ્યું છે કે કિવ સિવાયના ક્ષેત્રોમાં 265 નાગરિકોના મોત થયા છે અને 322 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો : Russia Ukraine War: 10 લાખ યુક્રેનિયન નાગરિકોએ હુમલાથી બચવા માટે દેશ છોડી દીધો, પડોશી દેશોમાં સ્થળાંતર કર્યું- સંયુક્ત રાષ્ટ્ર

આ પણ વાંચો : Exclusive: યુક્રેનના મંત્રીએ TV9 ને કહ્યું ‘દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ, રાજધાની કિવમાં બોમ્બનો વરસાદ’

Next Article