Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી BAPS સંસ્થા, PM મોદીએ સંસ્થાને ભોજન-રહેઠાણની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો

BAPS સંસ્થા યુક્રેનમાં યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી છે. ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા યુક્રેન-પોલેન્ડ બોર્ડર પરથી આવનારા ભારતીયો માટે વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવી છે. અને, બોર્ડર નજીક આવેલા ભારતીયો માટે ભોજન, રહેઠાણની વ્યવસ્થા ઊભી કરાશે.

Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી BAPS સંસ્થા, PM મોદીએ સંસ્થાને ભોજન-રહેઠાણની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:33 PM

Russia Ukraine War:  યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ પરત લાવવા કેન્દ્ર સરકારે (Central Government)કવાયત હાથ ધરી છે. આ મામલે કેન્દ્ર સરકારે ધાર્મિક સંસ્થાઓની પણ મદદ માગી છે. PM મોદીએ BAPS સંસ્થાના પ્રતિનિધિઓ સાથે ફોન પર આ મામલે વાતચીત કરી છે. જેમાં પીએમ મોદીએ સંસ્થા સાથે ફસાયેલા ભારતીયો માટે ભોજન, રહેઠાણની વ્યવસ્થા કરવા અંગે વાત કરી છે.

નોંધનીય છેકે BAPS સંસ્થા યુક્રેનમાં યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી છે. ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા યુક્રેન-પોલેન્ડ બોર્ડર પરથી આવનારા ભારતીયો માટે વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવી છે. અને, બોર્ડર નજીક આવેલા ભારતીયો માટે ભોજન, રહેઠાણની વ્યવસ્થા ઊભી કરાશે. આ સાથે જ બીએપીએસ સંસ્થા દ્વારા પેરિસથી મોબાઈલ કિચન પોલેન્ડ મોકલાયું છે. અને, યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સહિતના અનેક વિદ્યાર્થીઓ માટે ભોજન મળી રહેશે. જેમાં રોજ બેથી ત્રણ હજાર લોકોને ગરમ ભોજન મળે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.

યુક્રેનથી ભારત આવતા મુસાફરોને છૂટ

જો કોઈ મુસાફરોના આગમન પહેલાં RTPCR ટેસ્ટ રજૂ કરવામાં સક્ષમ ન હોય અથવા તેમનું COVID-19 રસીકરણ પૂર્ણ ન કર્યું હોય, તેઓ ભારતમાં તેમના આગમન પછી 14 દિવસ સુધી તેમના COVID-19 નમૂનાઓ સબમિટ કરી શકે છે. 28 ફેબ્રુઆરી સુધીમાં 1,156 ભારતીયો યુક્રેનથી ભારત આવ્યા છે, જેમાંથી એકપણ મુસાફરોને આઈસોલેશનમાં (Isolation) રાખવામાં આવ્યા નથી.

યુક્રેનમાં હજુ પણ હજારોની સંખ્યામાં ભારતીયો ફસાયેલા

ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં પહેલાથી જ 24 કલાકના કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે, જેથી કરીને ભારતીયોને આ દેશો સાથેની યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લગભગ 13,000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

 

આ પણ વાંચો : પ્રધાનમંત્રી મોદીએ કરી રોમાનિયાના પીએમ નિકોલાઈ સિઉકા સાથે ફોન પર વાત, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે વ્યક્ત કર્યો આભાર

આ પણ વાંચો : રાજકોટ કમિશનકાંડમાં મોટી કાર્યવાહી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી

 

Published On - 11:31 pm, Mon, 28 February 22

Follow Us