Britain: પ્રિન્સ એન્ડ્રયુનું 31 લાખ રૂપિયાનું બિલ કિંગ ચાર્લ્સે ના કર્યુ પાસ, જાણો શું કહ્યું

|

Mar 12, 2023 | 10:37 PM

એન્ડ્રયુને આ બિલ જાતે ભરવા માટે કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં પ્રિન્સ એન્ડ્રયુને યોગીને રોયલ લોજમાં બોલાવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં તે લગભગ એક મહિના સુધી રહે છે અને એન્ડ્ર્યુની સારવાર કરે છે.

Britain: પ્રિન્સ એન્ડ્રયુનું 31 લાખ રૂપિયાનું બિલ કિંગ ચાર્લ્સે ના કર્યુ પાસ, જાણો શું કહ્યું

Follow us on

બ્રિટેનના શાહી પરિવારમાંથી હંમેશા અજીબોગરીબ સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે કિંગ ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્ર્યુને 32000 પાઉન્ડનું પેમેન્ટ આપવાથી ઈનકાર કરી દીધો છે. આ પેમેન્ટ એન્ડ્ર્યુ એક ભારતીય ગુરૂને આપે છે. એક અહેવાલ મુજબ પ્રિન્સ એન્ડ્રયુ છેલ્લા ઘણા વર્ષોથી એક અનુભવી યોગી પાસેથી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે.

દર વર્ષે તે તેમની ફી ભરવા માટે એક બિલ સબમિટ કરતા હતા, જેને તેમની માતા ક્વીન એલિઝાબેથ દર વખતે કોઈ પ્રશ્ન કર્યા વગર પાસ કરી દેતા હતા પણ આ વખતે આવુ થયું નથી અને કિંગ ચાર્લ્સે બિલ ભરવાથી ઈનકાર કરી દીધો છે અને એન્ડ્રયુને આ બિલ જાતે ભરવા માટે કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં પ્રિન્સ એન્ડ્રયુને યોગીને રોયલ લોજમાં બોલાવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં તે લગભગ એક મહિના સુધી રહે છે અને એન્ડ્ર્યુની સારવાર કરે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીને લંચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મંત્રીએ સંભળાવ્યો રસપ્રદ કિસ્સો, વાંચીને દરેક ભારતીયને થશે ગર્વ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અનુભવી યોગી ગુરૂ એન્ડ્રયુને ટ્રીટ કરવા માટે મંત્રોનો જાપ, મસાજ અને પવિત્ર થેરેપીનો ઉપયોગ કરે છે. જો કે તેમના પ્રાઈવેટ ઘર પર કરવામાં આવે છે. ત્યારે અન્ય એક રિપોર્ટમાં દાવા કરવામાં આવ્યો છે કે જે ટ્રીટમેન્ટ એન્ડ્રયુ લઈ રહ્યા છે, તે ખુબ જ મોંઘી છે. ક્વીન એલિઝાબેથ પોતાના પુત્રની આ ટ્રીટમેન્ટ પર ખુશીથી ખર્ચો કરતા હતા, જ્યારે કિંગ ચાર્લ્સે આવા ખર્ચાઓને ઓછા કરવાનો પ્રયત્ન કર્યો છે.

જ્યાં લોકો જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા પરિવારો આ દિવસોમાં સંઘર્ષ કરી રહ્યા છે અને તે એક ભારતીય ગુરુને લાખો રૂપિયા ચૂકવવા માંગે છે જે પવિત્ર સારવાર આપી રહ્યા છે અને તે પણ એક નોન વર્કિગ રોયલ ફેમિલી સભ્ય માટે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ‘આ વખતે કિંગ ચાર્લ્સે વિચાર્યું કે અગાઉ આવા ખર્ચાઓ પર કોઈ સવાલ કર્યા વગર સહી કરવામાં આવતી હતી, પરંતુ નવા યુગમાં એવું નથી.

Next Article