
હમઝા બુહરાન, આતંકી સંસ્થા અલ-બદ્રનો ટોચનો કમાન્ડર હતો. તેનું પૂરું નામ અર્જુમંદ ગુલઝાર ડાર, ઉર્ફે ‘ડોક્ટર’ હતું. સુરક્ષા એજન્સીઓ અનુસાર, તે લાંબા સમયથી ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને દક્ષિણ કાશ્મીરમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે જવાબદાર મુખ્ય વ્યક્તિઓમાં તેની ગણતરી થતી હતી.
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા હુમલા પાછળના માસ્ટર માઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં જ અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ બુરહાનને ધડાધડ ગોળીઓ ધરબીને હત્યા કરી હતી. ચારણીની માફક ગોળીઓથી વિંધાઈ ગયેલા હમઝાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સૂત્રો અનુસાર, હુમલાખોરોએ તેની હત્યા કરવા માટે હમઝા પર અનેક ગોળીઓ ચલાવી હતી.
હમઝા અલ-બદ્રનો ટોચનો કમાન્ડર હતો. તેનું પૂરું નામ અર્જુમંદ ગુલઝાર ડાર, ઉર્ફે ‘ડોક્ટર’ હતું. સુરક્ષા એજન્સીઓ અનુસાર, તે લાંબા સમયથી ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને દક્ષિણ કાશ્મીરમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે જવાબદાર મુખ્ય વ્યક્તિઓમાં તેની ગણતરી થતી હતી.
અર્જુમંદ ગુલઝાર મૂળ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી હતો. એવું કહેવાય છે કે તે, લગભગ સાત વર્ષ પહેલાં માન્ય મુસાફરી દસ્તાવેજોનો ઉપયોગ કરીને પાકિસ્તાન ગયો હતો, જ્યાં તે આતંકવાદી સંગઠન અલ-બદ્રમાં જોડાયો હતો. ત્યારબાદ, તે સંગઠનનો ઓપરેશનલ કમાન્ડર બન્યો અને પાકિસ્તાનથી કાર્યરત થઈને, કાશ્મીરમાં ભટકી ગયેલા યુવાનોને આતંકવાદીઓ બનાવીને તેની ટોળીમાં ભરતી કરતો હતો. તેમને જરૂરી ભંડોળ અને શસ્ત્રોનો પુરવઠો પણ પુરો પાડતો હતો. આ માટે અલ-બદ્રમાં જવાબદાર નેટવર્ક ચલાવવાનું શરૂ કર્યું.