ભારત-UAEના સંબંધોથી લઈને યુએઈમાં UPI શરૂ થવા સુધી…જાણો અબુધાબીમાં PM મોદીના ભાષણની 10 મોટી વાતો

|

Feb 13, 2024 | 9:53 PM

વડાપ્રધાન મોદીએ UAEની રાજધાની અબુધાબીમાં એક કાર્યક્રમમાં NRIને સંબોધન કર્યું હતું. ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોના વખાણ કર્યા હતા. તેઓએ ભારત યુએઈ સંબંધો ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. પીએમ મોદીએ કાર્યક્રમમાં ભાગ લેનાર ભારતીય સમુદાયનો પણ આભાર માન્યો હતો.

ભારત-UAEના સંબંધોથી લઈને યુએઈમાં UPI શરૂ થવા સુધી...જાણો અબુધાબીમાં PM મોદીના ભાષણની 10 મોટી વાતો
PM Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના UAE પ્રવાસ પર છે. જ્યાં વડાપ્રધાન મોદીએ UAEની રાજધાની અબુધાબીમાં એક કાર્યક્રમમાં NRIને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોના વખાણ કર્યા હતા. તેઓએ ભારત યુએઈ સંબંધો ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. પીએમ મોદીએ કાર્યક્રમમાં ભાગ લેનાર ભારતીય સમુદાયનો પણ આભાર માન્યો હતો.

અબુધાબીમાં NRIને સંબોધન કરતાં PM મોદીની 10 મોટી વાતો

  1. વડાપ્રધાન મોદીએ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં NRIને સંબોધિત કરતા કહ્યું કે, આજે દરેક દિલની ધડકન કહી રહી છે કે ભારત-UAE દોસ્તી જિંદાબાદ છે.
  2. છેલ્લા 10 વર્ષમાં યુએઈની આ મારી 7મી મુલાકાત છે. આજે પણ શેખ મોહમ્મદ બિન ઝાયેદ મને એરપોર્ટ પર રિસીવ કરવા આવ્યા હતા. મને ખુશી છે કે અમને ચાર વખત ભારતમાં તેમનું સ્વાગત કરવાની તક પણ મળી છે.
  3. અમારા અમીરાતી મિત્રોએ ભારતીયોને તેમના હૃદયમાં સ્થાન આપ્યું છે અને તેમને સુખ-દુઃખમાં પોતાના ભાગીદાર બનાવ્યા છે. કોવિડના સમયમાં શેખે કહ્યું હતું કે તમે બિલકુલ ચિંતા ન કરો. તેમણે અહીં તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી.
  4. આપણા બંને દેશો એક સાથે આગળ વધ્યા છે. આજે UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આજે UAE સાતમું સૌથી મોટું રોકાણકાર છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ અમારી ભાગીદારી વધુ મજબૂત બની રહી છે.
  5. રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
    આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  6. ભારત અને UAE સમયની કલમથી વિશ્વના પુસ્તક પર સારા નસીબનો હિસાબ લખી રહ્યા છે. ભારત અને UAE વચ્ચેની મિત્રતા આપણી સમાન સંપત્તિ છે. અમે એક મહાન ભવિષ્યની શરૂઆતમાં છીએ. આપણા બંને દેશો વચ્ચેના સંબંધો હજારો વર્ષ જૂના છે. તે દિવસેને દિવસે મજબૂત થતા જાય છે.
  7. આજે દરેક ભારતીયનું લક્ષ્ય ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. વિશ્વમાં જે દેશની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વધી રહી છે તે આપણું ભારત છે. સ્માર્ટ ફોન ડેટા વપરાશમાં ભારત નંબર વન છે. ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન થાય છે.
  8. આપણું ભારત ઈન્ટરનેટ યુઝર્સની બાબતમાં બીજા નંબરે છે. આપણું ભારત બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનો ધ્વજ લહેરાવ્યો છે.
  9. ભારતની સિદ્ધિ એ દરેક ભારતીયની સિદ્ધિ છે. 10 વર્ષમાં ભારત 11મા નંબરની અર્થવ્યવસ્થામાંથી વિશ્વની નંબર 5 અર્થવ્યવસ્થા બની ગયું છે. મને દરેક ભારતીયની ક્ષમતામાં એટલો વિશ્વાસ છે જેના આધારે મોદીએ ગેરંટી પણ આપી છે.
  10. મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ખાતરી આપી છે અને મોદીની ગેરંટી એટલે કે ગેરંટી પૂરી થવાની ખાતરી.
  11. UAE એ ભારત સાથે મળીને કાર્ડ સિસ્ટમને જીવન નામ આપ્યું છે. UAEએ આટલું સુંદર નામ આપ્યું છે. UPI ટૂંક સમયમાં UAEમાં પણ લોન્ચ થવા જઈ રહ્યું છે. આ UAE અને ભારતીય ખાતાઓ વચ્ચે સીમલેસ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપશે.
Next Article