માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટકાવેલુ વિમાન, 300 ભારતીયો સાથે આજે મુંબઈ પરત ફરશે

|

Dec 25, 2023 | 4:52 PM

ફ્રાન્સથી 300 મુસાફરોને લઈને વિમાન આજે મુંબઈ એરપોર્ટ પર ઉતરશે, દુબઈથી નિકારાગુઆ જતા આ વિમાનમાં માનવ તસ્કરી થઈ રહી હોવાની આશંકાથી ફ્રાન્સના પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ પર વિમાનને ફ્રાન્સ સત્તાવાળાઓ દ્વારા અટકાવવામાં આવ્યું હતું.

માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટકાવેલુ વિમાન, 300 ભારતીયો સાથે આજે મુંબઈ પરત ફરશે

Follow us on

300 થી વધુ મુસાફરો સાથેનું એક વિમાન સોમવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરે તેવી ધારણા છે. ત્રણ દિવસ પહેલા આ વિમાનને માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યુ હતુ. વિમાનમાં સવાર મોટાભાગના મુસાફરો ભારતીય છે. સૂત્રોએ આ માહિતી આપી હતી કે રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સ દ્વારા સંચાલિત A340 એરક્રાફ્ટ આજે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની ધારણા છે.

300 થી વધુ મુસાફરોને વહન કરતું એક વિમાન સોમવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરે તેવી ગણતરી છે, ત્રણ દિવસ પહેલા ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર તેને માનવ તસ્કરીની શંકાને કારણે ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યુ હતુ. વિમાનમાં સવાર મોટાભાગના મુસાફરો ભારતીય છે.

રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સ દ્વારા સંચાલિત A340 એરક્રાફ્ટ આજે સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્લેન પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જ્યાં તેને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાતના દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઇટને ગુરુવારે ‘માનવ તસ્કરી’ની શંકાના આધારે પેરિસથી 150 કિમી પૂર્વમાં વેટ્રી એરપોર્ટ પર 303 મુસાફરોને લઈને અટકાવવામાં આવી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ગઈકાલ રવિવારે ચાર ફ્રેન્ચ ન્યાયાધીશો દ્વારા, અટકાયતમાં લેવાયેલા વિમાનના મુસાફરોની સઘન પૂછપરછ કરી હતી. માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસ પ્રોસીક્યુટર ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના ભાગરૂપે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફ્રેન્ચ મીડિયા અનુસાર, કેટલાક મુસાફરો હિન્દી અને કેટલાક તમિલ ભાષી હતા.

પ્રસ્થાન માટે વિમાનને મંજૂરી આપ્યા પછી, ફ્રેન્ચ ન્યાયાધીશોએ રવિવારે પ્રક્રિયામાં અનિયમિતતાને કારણે મુસાફરોની સુનાવણી રદ કરવાનો નિર્ણય કર્યો. પ્લેનમાં 11 સગીરો સવાર હતા. જેમની સાથે અન્ય કોઈ નહોતું. શુક્રવારથી અટકાયતમાં લેવામાં આવેલા બે મુસાફરોની અટકાયત શનિવારે સાંજે 48 કલાક સુધી લંબાવવામાં આવી હતી.

વિદેશના તમામ સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

Published On - 4:46 pm, Mon, 25 December 23

Next Article