સરકાર તોડવાના આરોપમાં ઈમરાન ખાન ‘બેકફૂટ’ પર, હવે બાજવાએ કમાન સંભાળી, કહ્યું- અમેરિકા સાથે સારા સંબંધો ઈચ્છે છે

|

Apr 02, 2022 | 6:42 PM

આવતીકાલે નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. ઈમરાને કહ્યું છે કે તેમની સરકારને તોડવા પાછળ અમેરિકાનો હાથ છે.

સરકાર તોડવાના આરોપમાં ઈમરાન ખાન બેકફૂટ પર, હવે બાજવાએ કમાન સંભાળી, કહ્યું- અમેરિકા સાથે સારા સંબંધો ઈચ્છે છે
Gen. Qamar Bajwa - Imran Khan

Follow us on

પાકિસ્તાનના (Pakistan) આર્મી ચીફ જનરલ કમર બાજવાએ કહ્યું છે કે દેશ અમેરિકા (USA) અને ચીન સાથે પોતાના સંબંધો જાળવી રાખવા માંગે છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) આરોપ લગાવ્યો હતો કે વિદેશી દળો તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે. તેમણે દેશને સંબોધનમાં સીધું અમેરિકાનું નામ પણ લીધું હતું. ઇમરાને એક પત્રનો ઉલ્લેખ કરતા અમેરિકાનું નામ લીધું હતું. જોકે, બાદમાં તેમણે કહ્યું કે આ વિદેશી શક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ઈસ્લામાબાદ સિક્યોરિટી ડાયલોગમાં બોલતા જનરલ કમર બાજવાએ કહ્યું કે અમે અમેરિકા સાથે સારા અને વ્યૂહાત્મક સંબંધોનો લાંબો ઈતિહાસ શેર કરીએ છીએ. અમેરિકા આપણું સૌથી મોટું નિકાસ બજાર છે. અમે બંને દેશો (ચીન અને અમેરિકા) સાથે અમારા સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ.

ઈમરાન ખાને કહ્યું હતું કે તેમની સરકાર પાસે ગુપ્ત રાજદ્વારી પત્ર છે, જે તેમની સરકારને અસ્થિર કરવાનું વિદેશી કાવતરું છે. તેમણે કહ્યું કે આ પત્ર પાકિસ્તાની વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. સરકારે અગાઉ કહ્યું હતું કે આ પત્ર સાર્વજનિક કરી શકાય નહીં. પરંતુ ગુરુવારે આ પત્ર ઓફ ધ રેકોર્ડ પત્રકારોને બતાવવામાં આવ્યો હતો.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Seeing Sign: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

ઈમરાનનો દાવો- મારી રશિયાની મુલાકાતથી અમેરિકા નારાજ

અમેરિકા સાથે વધુ સારા સંબંધો બનાવવાનું જનરલ બાજવાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આવતીકાલે નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. ઈમરાને સીધું કહ્યું છે કે તેમની સરકારને તોડવા પાછળ અમેરિકાનો હાથ છે.

પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે તેમને એવી ગુપ્ત માહિતી મળી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેનાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકા તેમની મોસ્કો મુલાકાતથી નારાજ છે. જો કે અમેરિકાએ ઈમરાન ખાન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પાકિસ્તાની વડાપ્રધાનના દાવામાં કોઈ સત્ય નથી.

રશિયા-યુક્રેન યુદ્ધ પર બાજવાએ શું કહ્યું?

રશિયા-યુક્રેન યુદ્ધ વિશે વાત કરતા જનરલ બાજવાએ કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો તાત્કાલિક બંધ થવો જોઈએ. સેના પ્રમુખે કહ્યું કે રશિયાની કાયદેસર સુરક્ષા ચિંતાઓ હોવા છતાં, નાના દેશ વિરુદ્ધ તેની આક્રમકતાને માફ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાન સતત યુદ્ધવિરામ અને દુશ્મનાવટનો અંત લાવવાનું આહ્વાન કરે છે. અમે સંઘર્ષનો કાયમી ઉકેલ શોધવા માટે તમામ પક્ષો વચ્ચે તાત્કાલિક સંવાદને સમર્થન આપીએ છીએ.

આ પણ વાંચો : વિદેશી દેવાના બોજથી બરબાદ શ્રીલંકા, એક લિટર પેટ્રોલની કિંમત 303 રૂપિયા !!!

આ પણ વાંચો : સમય જોઈને પાકિસ્તાન ઘૂંટણિયે, જનરલ બાજવા એ કહ્યુ ભારત સાથેના તમામ વિવાદો ઉકેલવા પાકિસ્તાન તૈયાર, અમે કૂટનીતિમાં માનીએ છીએ

Next Article