
ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજ ‘સેટેબેલો’ પર થયેલા હુમલાની ભારત સરકારે કડક નિંદા કરી છે. જહાજમાં કુલ 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ ત્રણ ભારતીય ક્રૂ સભ્યો ગુમ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની શોધખોળ માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દૂતાવાસ સ્થાનિક ઓમાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને બચાવ કામગીરી અંગેની દરેક માહિતી પર ધ્યાન આપી રહ્યું છે.
ભારતે આ ઘટનાને ગંભીર અને ચિંતાજનક ગણાવી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં વેપારી જહાજો પર થતા હુમલાઓ વૈશ્વિક દરિયાઈ સુરક્ષા માટે મોટો પડકાર બની રહ્યા છે. આવા હુમલાઓ માત્ર જહાજો અને ક્રૂ સભ્યોની સુરક્ષા માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર અને સપ્લાય ચેઇન માટે પણ જોખમ ઊભું કરે છે.
ભારતે તમામ સંકળાયેલા પક્ષોને તણાવ ઘટાડવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવા અપીલ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવી અત્યંત જરૂરી છે, જેથી વેપારી જહાજોની અવરજવર અને આંતરરાષ્ટ્રીય વેપાર સામાન્ય રીતે ફરી શરૂ થઈ શકે.
Our statement on the attack on a commercial vessel off the coast of Oman ⬇️https://t.co/w405oJsHmZ pic.twitter.com/m0U3U81hQn
— Randhir Jaiswal (@MEAIndia) June 10, 2026
વિદેશ મંત્રાલયે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે વેપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાની ઘટનાઓ તાત્કાલિક બંધ થવી જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદા અને દરિયાઈ નિયમોનું પાલન કરીને વૈશ્વિક સમુદ્રી માર્ગો પર અવિરત નેવિગેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ, જહાજમાં સવાર 24 ભારતીયોમાંથી 21 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગુમ થયેલા ત્રણ ભારતીયોની શોધ માટે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ભારતીય દૂતાવાસ તેમના પરિવારજનો અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર આવા હુમલાઓ અસ્વીકાર્ય છે અને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો સમાન છે. ભારતે ફરી એકવાર તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ઘટાડવા અને રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવાનો આગ્રહ કર્યો છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ બોલાવશે ધબધબાટી!