કરતારપુર ગુરુદ્વારા પહોચેલા નવજોતસિંહ સિદ્ધુનુ વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ ઈમરાનખાન મારા મોટાભાઈ, પાકિસ્તાન તરફથી મને બહુ પ્રેમ મળ્યો

|

Nov 20, 2021 | 2:55 PM

નવજોત સિદ્ધુનો કરતારપુર જવાનો કાર્યક્રમ જોકે 18 નવેમ્બરે નિર્ધારિત હતો. પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષાની ચિંતાઓને ટાંકીને તેમનું નામ શીખ તીર્થયાત્રીઓની ત્રીજી બેચની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

કરતારપુર ગુરુદ્વારા પહોચેલા નવજોતસિંહ સિદ્ધુનુ વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ ઈમરાનખાન મારા મોટાભાઈ, પાકિસ્તાન તરફથી મને બહુ પ્રેમ મળ્યો
Navjot Singh Sidhu

Follow us on

કરતારપુર કોરિડોર ફરીથી ખોલ્યાના માત્ર ત્રણ દિવસ પછી પંજાબ પ્રદેશ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ શનિવારે ગુરુદ્વારા કરતારપુર સાહિબ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન સિદ્ધુએ કરતારપુર પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોહમ્મદ લતીફ સાથે પણ વાત કરી અને કહ્યું કે ‘પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મારા મોટા ભાઈ જેવા છે. તેણે મને ઘણો પ્રેમ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુની બંને દેશો વચ્ચે શીખ તીર્થસ્થળ કરતારપુર સાહિબના કોરિડોર ખોલવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઈમરાન ખાન અને સિદ્ધુ વચ્ચેનો સંબંધ 2018માં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે સિદ્ધુ પાકિસ્તાનના વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

નવજોત સિદ્ધુનો કરતારપુર જવાનો કાર્યક્રમ 18 નવેમ્બરે નિર્ધારિત હતો. પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષાની ચિંતાઓને ટાંકીને તેમનું નામ શીખ તીર્થયાત્રીઓની ત્રીજી બેચની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ગુરુવારે કરતારપુર સાહિબની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળમાં સિદ્ધુનું નામ સામેલ નહોતું.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ચન્નીને પ્રતિનિધિમંડળ સાથે જવા દેવામાં આવ્યા ન હતા
સિદ્ધુને બુધવારે મોડી રાત્રે જણાવવામાં આવ્યું હતું કે ગુરુપર્વના એક દિવસ પછી 20 નવેમ્બરે કરતારપુર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લેનારા VIPની ત્રીજી યાદીમાં તેમનું નામ સામેલ છે. તેમના મીડિયા સલાહકાર જગતાર સિદ્ધુએ કહ્યું, ‘પરમિશન મેળવવા માટે ફોર્મ સમયસર ભરવામાં આવ્યું હતું. પરંતુ ચન્નીના સત્તાવાર પ્રતિનિધિમંડળમાં PPCC વડાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

જો કે, મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિદ્ધુ, PPCC કાર્યકારી પ્રમુખો અને વરિષ્ઠ ધારાસભ્યો સહિત 50 VIPની યાદી 16 નવેમ્બરની સાંજે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. જો કે, સુરક્ષાની ચિંતાઓને ટાંકીને, કેન્દ્રએ તે જ દિવસે તમામ વીઆઈપીને કરતારપુર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો અને વીઆઈપીને ત્રણ જૂથોમાં વહેંચી દીધા હતા.

આ પણ વાંચોઃ IND vs NZ: હર્ષલ પટેલ થી પ્રભાવિત થયો આ ન્યુઝીલેન્ડનો દિગ્ગજ, કહ્યુ બુમરાહ સાથે મળીને ડેથ ઓવરમાં ખતરનાક જોડી બની શકે છે

આ પણ વાંચોઃ Ind vs NZ: કેએલ રાહુલે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે પોતાની હીટ જોડીનુ ખોલ્યુ રહસ્ય, બંને એ ભાગીદારીનો સર્જયો છે રેકોર્ડ

Next Article