ભારતના જડબાતોડ જવાબ બાદ પણ નથી છૂટી રહી પાકિસ્તાની મીડિયાની અકડ, એર સ્ટ્રાઈક બાદ પણ નથી તૈયાર હકીકત સ્વીકારવા

|

Feb 26, 2019 | 10:49 AM

ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની મીડિયામાં હંગામો મચી ગયો છે. એકબાજુ જ્યાં પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. ત્યાં બીજી બાજુ લાગે છે કે મીડિયા પાકિસ્તાની સેનાના દબાણમાં આવી ગયું છે. મંગળવારે સવારે ધ ડૉન સહિત કેટલાક સમાચારપત્રોએ ભારતના હુમલાની ખબર આપી પરંતુ થોડા સમયમાં જ તે સમાચાર હટાવી લીધા. જોકે, તેનાથી ફરક નથી પડતો કારણ […]

ભારતના જડબાતોડ જવાબ બાદ પણ નથી છૂટી રહી પાકિસ્તાની મીડિયાની અકડ, એર સ્ટ્રાઈક બાદ પણ નથી તૈયાર હકીકત સ્વીકારવા

Follow us on

ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની મીડિયામાં હંગામો મચી ગયો છે. એકબાજુ જ્યાં પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. ત્યાં બીજી બાજુ લાગે છે કે મીડિયા પાકિસ્તાની સેનાના દબાણમાં આવી ગયું છે.

મંગળવારે સવારે ધ ડૉન સહિત કેટલાક સમાચારપત્રોએ ભારતના હુમલાની ખબર આપી પરંતુ થોડા સમયમાં જ તે સમાચાર હટાવી લીધા. જોકે, તેનાથી ફરક નથી પડતો કારણ કે ત્યાંની સંસદમાં સરકાર વિરૂદ્ધ શરમ કરો-શરમ કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ધ ડૉનની ખબરમાં કહેવાયું છે કે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પાકિસ્તાની વાયુસેનાની સજાગતાના કારણે તેમણે પરત ફરવું પડ્યું. આ ખબરમાં જ એમ પણ કહેવાયું કે બચવાના પ્રયાસોમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટની નજીક પેલોડ એટલે કે બૉમ્બ ફેંક્યા.

પાકિસ્તાનના જેટ ફાઈટરે પીછો કર્યો

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને લખ્યું કે એલઓસી પર ઉલ્લંઘન કર્યા બાદ પાકિસ્તાન એરફોર્સના વિમાનોએ ભારતીય જેટ ફાઈટર્સે પીછો પણ કર્યો. આ સમાચારપત્રમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરેશીનું પણ નિવેદન આવ્યું છે. કુરેશીએ કહ્યું, ભારતના હુમલાનો બરાબર જવાબ આપવામાં આવશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

ધ નેશને પોતાના આર્ટિકલમાં કહ્યું કે દેશના નાગરિક અને સેના, તમામ હાઈ એલર્ટ પર છે.

તો પાકિસ્તાન ટુડેએ લખ્યું કે એલઓસી પર ભારતની ઘૂષણખોરીના પ્રયાસ બાદ ઈમાર ખાને હાઈ લેવલ મીટિંગ બોલાવી. ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનમાં કોઈ પણ ન્યૂઝ પોર્ટલ અને સમાચારપત્રે એ માનવાની મનાઈ કરી દીધી કે બાલાકોટમાં જૈશનો આતંકી કેમ્પ તબાહ કરી દેવાયો છે.

સમા ટીવીએ કહ્યું કે ભારતના જંગી વિમાનોએ એલઓસી પાર કરવાના પ્રયાસો કર્યા પરંતુ પાકિસ્તાનના વિમાનોએ તેમને પરત ફરવા પર મજબૂર કરી દીધા.

તો બીજી બાજુ કેટલીક ટીવી ચેનલ્સ પર ચર્ચાઓ અને વિવાદો શરૂ થઈ ગયા.

જોકે વિપક્ષના સાંસદ સરકાર સાચી હકીકત સામે લાવે તેની સતત માગ કરી રહ્યાં છે.

[yop_poll id=1827]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article