London News: ઋષિ સુનકની ગેરહાજરી વચ્ચે તેમના ઘરને કાળા કપડાથી ઢાંકી દેવાતા વિવાદ, Video માં જાણો શું છે સમગ્ર મામલો

બ્રિટિશ વડાપ્રધાનના નિવાસસ્થાનને કાળા કપડાથી ઢાંકવાનું કામ ગ્રીનપીસ સંસ્થાના વિરોધીઓ દ્વારા કરવામાં આવે છે. આ લોકો ઓઈલ ડ્રિલિંગને લઈને સરકારની નીતિનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં સુનકની પર્યાવરણીય નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે.

London News: ઋષિ સુનકની ગેરહાજરી વચ્ચે તેમના ઘરને કાળા કપડાથી ઢાંકી દેવાતા વિવાદ, Video માં જાણો શું છે સમગ્ર મામલો
| Edited By: | Updated on: Aug 05, 2023 | 6:01 PM

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના એક નિર્ણયનો લોકો વિરોધ કરી રહ્યા છે. વડાપ્રધાન સુનકના નિર્ણયથી લોકો એટલા નારાજ છે કે ગુરુવારે તેમના નિવાસસ્થાનને કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યું હતું. જો કે, જે સમયે વિરોધીઓએ સુનકના ઘરને કાળા કપડાથી ઢાંકી દીધુ, તે સમયે તે ઘરે હાજર નહોતા. તે બુધવારે સાંજે પરિવાર સાથે રજાઓ મનાવવા માટે કેલિફોર્નિયા જવા રવાના થયા હતા.

આ પણ વાંચો: આ દેશમાં બે દિવસનું લોકડાઉન જાહેર થયું, લોકડાઉનનું કારણ જાણીને તમે ચોંકી જશો

બ્રિટિશ વડાપ્રધાનના નિવાસસ્થાનને કાળા કપડાથી ઢાંકવાનું કામ ગ્રીનપીસ સંસ્થાના વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ લોકો ઓઈલ ડ્રિલિંગને લઈને સરકારની નીતિનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં સુનકની પર્યાવરણીય નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે.

ગ્રીનપીસ યુકેના ટ્વિટર હેન્ડલ દ્વારા એક ફોટો ટ્વિટ કરવામાં આવ્યો હતો, જેમાં દેખાવકારો સુનાકના ઘરને લગભગ 200 મીટર કાપડથી ઢાંકી દેતા જોવા મળે છે. જોકે આ દરમિયાન સુનક ઘરમાં હાજર નહોતા.

પર્યાવરણને નષ્ટ કરનાર નેતા નહીં પણ ક્લાયમેટ લીડર બનવાની જરૂર

આ દરમિયાન ચાર વિરોધીઓ યોર્કશાયરમાં સુનાકના ઘરની છત પર ચઢી ગયા હતા અને ઘરને કાળા કપડાથી ઢાંકી દીધું હતું. આ તસવીરમાં બે કાર્યકર્તાઓ એક બેનર લઈને ઉભા છે જેમાં લખ્યું હતું ઋષિ સુનક-તેલનો નફો કે આપણું ભવિષ્ય? આ સિવાય ગુરુવારે સુનકના સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટની બહાર પણ વિરોધ પ્રદર્શનો થયો હતો. ગ્રીનપીસ યુકેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે અમારા વડા પ્રધાન પર્યાવરણને નષ્ટ કરનાર નેતા નહીં પણ ક્લાયમેટ લીડર બનવાની જરૂર છે.

ઈમેટ ચેન્જ સામેની લડાઈમાં કોની સાથે ઉભા છે

ગ્રીન પીસના જણાવ્યા અનુસાર, પીએમના ઘરને કાળા કપડાથી ઢાંક્યા બાદ તેણે સુનકને સવાલ પૂછ્યો. તેઓ જાણવા માંગે છે કે તેઓ ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં કોની સાથે ઉભા છે. તેઓ મોટી ઓઈલ કંપનીઓની બાજુમાં છે કે એક જીવન જીવવા લાય પૃથ્વીની બાજુમાં છે.

 

 

પર્યાવરણીય કાર્યકરો કહે છે કે આબોહવા સંકટ તીવ્ર બની રહ્યું છે અને ઋષિ સુનકની નીતિ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીની અગાઉની ચેતવણીઓથી વિરોધાભાસી છે. તેમણે કહ્યું છે કે જો વિશ્વને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા હોય તો તેલ અને ગેસની શોધમાં નવું રોકાણ ન કરવું જોઈએ.

 

 

તમને જણાવી દઈએ કે યુકે સરકારે ઉત્તર સમુદ્રમાં તેલ અને ગેસ માટે ડ્રિલિંગની મંજૂરી આપી છે. આને લઈને દેશમાં હાજર પર્યાવરણ કાર્યકરોમાં નારાજગી છે. તેઓ સરકારના આ પગલાનો સખત વિરોધ કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો