Afghanistan Crisis : ભારતે અફઘાનિસ્તાનમાંથી 110 શીખ અને હિન્દુઓને બહાર કાઢ્યા, તમામ લોકોનું કરવામાં આવશે પુનર્વસન

|

Dec 11, 2021 | 6:43 AM

અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા લોકો અફઘાન હિન્દુ અને શીખ છે અને તેમાં 4 ભારતીયોનો સમાવેશ થાય છે જેઓ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી શક્યા નથી.

Afghanistan Crisis : ભારતે અફઘાનિસ્તાનમાંથી 110 શીખ અને હિન્દુઓને બહાર કાઢ્યા, તમામ લોકોનું કરવામાં આવશે પુનર્વસન
File photo

Follow us on

ઓગસ્ટ મહિનામાં તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યો હતો બાદ દેશની સ્થિતિ કથળી રહી છે. લોકો તે સમયે પણ અફઘાનિસ્તાન છોડી રહ્યા હતા. પરંતુ આમ છતાં પણ ઘણા ભારતીય નાગરિકો ફસાયા હતા. હાલમાં જ ભારતીય નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આતંકના ચુંગાલમાં ફસાયેલા 110 લોકોને આજે નવું જીવન મળ્યું છે.

આ એ લોકો છે જેઓ અફઘાનિસ્તાનમાં મહિનાઓથી ફસાયેલા હતા અને જેમને આજે ભારતના ઓપરેશન દેવી શક્તિ દ્વારા નવું જીવન મળ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો મેળવ્યા બાદ કાબુલમાં ફસાયેલા 110 લોકોને મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમના માટે અહીં પહોંચવું સરળ ન હતું.

આ ભારતીયો છેલ્લા ચાર મહિનાથી, દરરોજ દરેક ક્ષણ તાલિબાની રાજમાંથી આઝાદી મેળવવા માટે આ સમયની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે તે સમય આવ્યો ત્યારે તેણે કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર પહોંચતા જ પ્રથમ ભારત સરકારનો આભાર માન્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તાલિબાન શાસનમાંથી મુક્તિનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો કારણ કે તે કાબુલ એરપોર્ટ પર કાબુલ એરના વિમાનમાં વારાફરતી ચડતો હતો. પરંતુ સૌથી આગળ ગ્રંથી હતા, જેમના માથા પર ગુરુ ગ્રંથ સાહિબનો પવિત્ર ગ્રંથ હતો. સૌથી આગળ તે જ હતા અને પાછળ 100 થી વધુ લોકો હતા.

ભારત સરકારનો આભાર માન્યો 

પવિત્ર ગ્રંથ પણ ફ્લાઇટમાં સૌથી આગળ મૂકવામાં આવ્યો હતો. પ્લેનમાં સવાર થયા બાદ ફરી એકવાર શીખોએ ભારત સરકારનો આભાર માન્યો. આ છે ભારતનું ઓપરેશન દેવી શક્તિ, જેમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા.

તેમાંથી ગુરુદ્વારા ગુરુ હર રાય ખાતે આતંકવાદી હુમલા દરમિયાન માર્યા ગયેલા સુરક્ષા ગાર્ડ મહરામ અલીના પરિવારને પણ એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવારે જ્યારે આ લોકોએ આતંકની ભૂમિ છોડીને પોતાના ભારતની ધરતી પર પગ મૂક્યો ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો. તેમાંથી કેટલાક શીખ અને કેટલાક હિંદુ છે.

રેસ્ક્યુ કરવામાં આવેલા લોકોમાં અફઘાન હિંદુઓ અને શીખોનો સમાવેશ થાય છે

અફઘાનિસ્તાનમાંથી છોડાવવામાં આવેલા લોકો અફઘાન હિન્દુ અને શીખ છે અને તેમાં 4 ભારતીયોનો સમાવેશ થાય છે જેઓ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી શક્યા નથી. આ મુસીબતોથી પ્રભાવિત લોકોમાં બાળકો, તેમના માતા-પિતા અને ભારતની દીકરીઓ છે જેમણે અફઘાની શીખો સાથે લગ્ન કર્યા અને ત્યાં સ્થાયી થયા.

સંકટના આ સમયમાં ભારતે તેમના માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. આ તમામ લોકો પોતાની સાથે ધાર્મિક વારસો પણ લઈને આવ્યા છે. આ સાથે અફઘાનિસ્તાનના ઐતિહાસિક ગુરુદ્વારાઓમાંથી ગુરુ ગ્રંથ સાહિબની માત્ર ત્રણ પુસ્તકો જ ભારત લાવવામાં આવી નથી. પરંતુ 5મી સદીના અસ્માઈ મંદિરમાંથી રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા સહિત ઘણા હિંદુ ધાર્મિક ગ્રંથો પણ ભારતમાં લાવવામાં આવ્યા છે.

ભારત લાવવામાં આવેલા તમામ અફઘાન નાગરિકોનું પુનર્વસન કરવામાં આવશે

ગુરુ ગ્રંથ સાહિબને દિલ્હીના મહાવીર નગરમાં ગુરુ અર્જન દેવ ગુરુદ્વારામાં રાખવામાં આવ્યા છે. જ્યારે રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા સહિત અનેક હિન્દુ ધાર્મિક ગ્રંથો ફરિદાબાદના આસામી મંદિરમાં રાખવામાં આવ્યા છે. આ ઓપરેશન દેવી શક્તિની અસર છે કે અફઘાનિસ્તાન કટોકટીથી પરેશાન લોકોને ભારતમાં આશા અને વિશ્વાસ છે.

ભારત હંમેશા આ આશા અને વિશ્વાસ પર ખરા ઉતર્યું છે. અફઘાનિસ્તાન કટોકટી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતે 565 ફસાયેલા લોકોને બચાવ્યા છે અને તેમને તમામ શક્ય મદદ પણ કરી છે. આ વખતે પણ સરકાર કાબુલથી ભારત લાવવામાં આવેલા 110 લોકોની સાથે છે. ભારત લાવવામાં આવેલા તમામ અફઘાન નાગરિકોનું પણ અહીં પુનર્વસન કરવામાં આવશે.

આ પણ વાંચો : વધુ બે સરકારી બેંકનું કરાશે ખાનગીકરણ, આગામી સપ્તાહે સંસદમાં રજુ કરાશે બેંકિગ સુધારા બીલ

આ પણ વાંચો : Punjab : સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું- દિલ્હી સરહદોથી પરત ફરવા પર ખેડૂતોનું સ્વાગત કરશે પંજાબ સરકાર

Next Article