ગુરુવારના રોજ સાંજે ભારતીય સેનાની ત્રણેય પાંખની કોન્ફરન્સમાં અધિકારીઓ પોતાની સાથે પુરાવા લઈને આવ્યા હતા. આ પુરાવા આખા વિશ્વની મીડિયા સામે રાખ્યા હતા. પાકિસ્તાને ભારતની સામે કાર્યવાહી એફ-16 પ્રકારના વિમાનથી કરી તે પણ ભારતે પ્રેસ કોન્ફરન્સમાં સાબિત કરી દીધું હતું. ભારતે જે મિસાઈલના પુરાવા પાકિસ્તાન અને વિશ્વ સમક્ષ રાખ્યા તે મિસાઈલ માત્ર એફ-16 પ્રકારના વિમાનોમાં જ લગાવી શકાય છે. આમ ભારતે વિશ્વની સામે પાકિસ્તાનને ઉઘાડુ્ં પાડી દીધું છે.
ભારતના સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવવા માટે AARAM પ્રકારની મિસાઈલ પાકિસ્તાનના એફ-16 વિમાનોએ દાગી હતી અને આ મિસાઈલ માત્ર એફ-16 પ્રકારના વિમાનોમાં લગાવી શકાય છે. અમેરીકા પાસેથી પાકિસ્તાને આતંકવાદીઓ સાથે લડવા માગેલા છે અને તે ભારત પર પોતાના આ વિમાનોનો રોફ બતાવી રહ્યું છે.
[yop_poll id=1884]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:42 pm, Thu, 28 February 19