India Canada News: કેનેડા અને ભારતના ચાલી રહેલા ટશન વચ્ચે અંકલ સેમની દખલગીરી યથાવત, જાણો હવે શું નિવેદન આપ્યુ

India Canada Row: નિજ્જર હત્યાકાંડ પછી ભારત અને કેનેડા વચ્ચેના ઐતિહાસિક સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. બંને દેશો વચ્ચે વધી રહેલા વિવાદ પર દુનિયાની નજર છે. અમેરિકા આ ​​સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહ્યું છે. આ દરમિયાન તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કેનેડાને આ મામલાની તપાસ આગળ વધારવા કહ્યું છે.

India Canada News: કેનેડા અને ભારતના ચાલી રહેલા ટશન વચ્ચે અંકલ સેમની દખલગીરી યથાવત, જાણો હવે શું નિવેદન આપ્યુ
India Canada News (File)
| Edited By: | Updated on: Sep 26, 2023 | 12:50 PM

શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. સંબંધો પણ નિર્ણાયક તબક્કે આવી ગયા છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ ક્યારે ઉકેલાશે તેની હાલ કોઈ ખાતરી નથી. વિશ્વના અન્ય દેશોની પણ નજર ભારત-કેનેડા પર છે. અમેરિકા આ ​​મામલાને સતત ફોલો કરી રહ્યું છે. આ દરમિયાન તેમણે એક મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકાએ કહ્યું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાની કેનેડાની તપાસ આગળ વધવી જોઈએ અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જર હત્યાકાંડ માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. તેણે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. જોકે, ભારતે પીએમ ટ્રુડોના નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું હતું.

કેનેડાએ તેની તપાસ આગળ વધારવી જોઈએ – અમેરિકા

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારોને જણાવ્યું કે અમે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોથી ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીઓ સાથે સતત સંપર્કમાં છીએ. અમે માનીએ છીએ કે કેનેડાએ આ સમગ્ર મામલામાં તેની તપાસ આગળ વધારવી જોઈએ અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. અમે સાર્વજનિક અને ખાનગી રીતે ભારત સરકારને કેનેડિયન તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે.

કડકાઈ બાદ ટ્રુડોનું વલણ નરમ

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે ભારતની કડકાઈ બાદ કેનેડાના પીએમ ટ્રુડોનું વલણ નરમ પડ્યું છે. સ્થિતિ બગડતી જોઈ તેમનો સ્વર બદલાઈ ગયો છે. તેણે ભારત સાથે મિત્રતાની અપીલ કરી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેઓ નિજ્જર હત્યા કેસમાં ભારત પાસેથી સહયોગ ઈચ્છે છે. ભારત સાથે મળીને કામ કરવા માંગુ છું.

આખો મામલો જાણો છો?

તમને જણાવી દઈએ કે શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે 18 જૂનના રોજ કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 18 સપ્ટેમ્બરે કેનેડાના પીએમ ટ્રુડોએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. આ પછી, કેનેડામાં ભારતના રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા છે. જેના બદલામાં ભારતે પણ જવાબી કાર્યવાહી કરી હતી. તેણે કેનેડિયન રાજદ્વારીને પણ દરવાજો બતાવ્યો અને 5 દિવસમાં દેશ છોડી દેવા માટે કહ્યું. અહીં આ વિવાદ તેની પૂર્ણ ઉંચાઈએ પહોંચ્યો હતો.

Published On - 12:49 pm, Tue, 26 September 23