અમેરિકાએ આખું વિમાન ભરીને ભારતીયોને પરત મોકલ્યા, જાણો શું છે કારણ ?

US India News: અમેરિકાએ કહ્યું કે તેણે છેલ્લા 4 મહિનામાં 1.60 લાખથી વધુ અમેરિકા આવેલા લોકોને 145 દેશોમાં મોકલી દીધા છે. આમાં ભારતના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો પણ સમાવેશ થાય છે જેમની પાસે અમેરિકામાં રહેવા માટે કોઈ કાનૂની આધાર નથી.

અમેરિકાએ આખું વિમાન ભરીને ભારતીયોને પરત મોકલ્યા, જાણો શું છે કારણ ?
| Updated on: Oct 27, 2024 | 4:54 PM

અમેરિકાએ આ અઠવાડિયાની શરૂઆતમાં ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા ભારતીયોથી ભરેલું વિમાન દિલ્હી પરત મોકલ્યું છે. યુએસ હોમ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ભારતીયો પાસે અમેરિકામાં રહેવાનો કોઈ કાનૂની આધાર નહોતો અને તેથી તેમને 22 ઓક્ટોબરે ચાર્ટર ફ્લાઈટ દ્વારા ભારત પરત મોકલવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે અમેરિકા

ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળાંતર મુદ્દે અમેરિકા સાથે દ્વિપક્ષીય સહયોગને કારણે આવું થયું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ કહ્યું કે તે માનવ તસ્કરી અને ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા અને ઘટાડવા માટે ભારત જેવા તેના ભાગીદારો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. જો કે, સરકારે દેશબહાર કરાયેલા ભારતીયો અને તેઓ ભારતમાં ક્યાંથી છે તે અંગે કોઈ વિગતો શેર કરી નથી.

145 દેશોમાં 1.60 લાખ લોકોને પરત મોકલવામાં આવ્યા

અમેરિકાએ કહ્યું છે કે તેણે જૂન 2024 પછી 145 દેશોમાં 1 લાખ 60 હજારથી વધુ લોકોને પાછા મોકલ્યા છે. અને આ લોકોને પરત મોકલવા માટે 495 ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ભારત સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 2023માં 96,917 ભારતીયોને અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ તરીકે પકડ્યા છે. ભારત સરકારે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા પ્રકાશિત ડેટાના આધારે આ માહિતી આપી હતી.

સુરક્ષિત અને કાનૂની સ્થળાંતરને સુરક્ષિત કરવા માટે ભારત અને યુએસ દર વર્ષે વાટાઘાટો કરે છે. બંને દેશો આ મામલે હાઈ કમિશનરના સ્તરે વાત કરે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.