
ભારત સરકારે, ગત 26 ઓગસ્ટ, 2026 ના રોજ નેપાળમાં આવેલા અચાનક પૂર પછી ગુમ થયેલા ભારતીય વ્યક્તિઓની ઓળખ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે વધારાના મહત્વના પગલાં લીધાં છે. ગૃહ મંત્રાલય (MHA) એ ભારતમાં રહેતા હોય અને નેપાળના પૂરમાં ગુમ થયેલા વ્યક્તિઓના પ્રથમ-ડિગ્રી જૈવિક સંબંધીઓના DNA પ્રોફાઇલિંગ કરવા માટે દેશની સરકારી ફોરેન્સિક પ્રયોગશાળાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
આ સુવિધા હેઠળ, ગુમ થયેલ વ્યક્તિના પિતા, માતા, પુત્ર, પુત્રી અથવા ભાઈ-બહેન પાસેથી એકત્રિત કરાયેલા જૈવિક નમૂનાઓનો ઉપયોગ કરીને ડીએનએ પ્રોફાઇલ જનરેટ કરી શકાય છે. આ ડીએનએ પ્રોફાઇલ્સનો ઉપયોગ નેપાળમાં મળેલા અજાણ્યા મૃતદેહોના ડીએનએ પ્રોફાઇલ્સ સાથે મેચ કરવા માટે કરવામાં આવશે.
ભારતમાં રહેતા ગુમ થયેલા વ્યક્તિઓના પ્રથમ-ડિગ્રીના જૈવિક સંબંધીઓ નીચેની સુવિધાઓ પર તેમના જૈવિક નમૂનાઓ સબમિટ કરી શકે છે:
ગૃહ મંત્રાલયે નમૂના સંગ્રહ અને DNA પ્રોફાઇલિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે બાયોલોજીકલ સેમ્પલ કલેકશન ફોર્મ સાથે આ સુવિધાઓ અને સંપર્ક બિંદુઓની સૂચિ પ્રદાન કરી છે.
નેપાળ પોલીસની સલાહ મુજબ, ઓળખ હેતુ માટે ઓટોસોમલ STR DNA પ્રોફાઇલિંગ હાથ ધરવામાં આવી શકે છે. જો કે, નેપાળના અધિકારીઓ દ્વારા નિર્દિષ્ટ તકનીકી ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. આ બાબત માટે નેપાળ પોલીસે હેલ્પલાઇન નંબર +977 9841 6160 95 જાહેર કર્યો છે.
એકવાર DNA પ્રોફાઇલ જનરેટ થઈ જાય, પછી તેને dnacodis@nepalpolice.gov.np પર ઇમેઇલ કરી શકાય છે, જેમાં નેપાળના અધિકારીઓ દ્વારા વિનંતી કરાયેલી પ્રાથમિક માહિતીનો સમાવેશ થાય છે. આ પ્રોફાઇલ્સને અજાણ્યા મૃતદેહોમાંથી મેળવેલા DNA પ્રોફાઇલ સાથે મેચ કરવામાં આવશે. સંકલન અને સુવિધા માટે, DNA પ્રોફાઇલની એક નકલ કાઠમંડુમાં ભારતીય દૂતાવાસને eoikathmandufloodsupport@gmail.com પર પણ મોકલી શકાય છે.
કેન્દ્ર સરકાર જાહેર કરેલ આ સુવિધા, 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝને અનુસરે છે, જેમાં 26 ઓગસ્ટના રોજ નેપાળમાં આવેલા અચાનક પૂરના ભોગ બનેલા લોકોના મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી.