
પોતાના ઘરનો ઝઘડો એટલો નુકસાન નથી પહોંચાડતો પરંતુ પડોસમાં હિંસા ભડકી હોય તો એ જરૂરથી ચિંતા ઉપજાવે છે. ભારત પણ આજકાલ આવી જ સ્થિતિથી ઘેરાયેલુ છે. પરંતુ ભારત માટે સારી વાત એ છે કે તે આવા શોરબકોરથી ના તો પહેલા ક્યારેય ગભરાયુ છે અને ના તો તેનો માથા પર કોઈ ભાર છે. છેલ્લા થોડા મહિનાઓથી ભારતના પડોશી દેશોમાં કંઈકને કંઈક ઉથલપાથલ મચેલી છે જ્યારે ભારત વિકાસના માર્ગે તેજીથી આગળ વધી રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે તે ભારતે તેના આંતરિક વિરોધને ઉકેલવા માટે ના તો કોઈ દેશના હસ્તક્ષેપનું સમર્થન કર્યુ ના તો ભારતે આવી કોઈ બાબતની હિમાયત કરી છે. પરંતુ આપણા પડોશી દેશો આ મામલે કંઈક અલગ જ વિચારધારા ધરાવે છે. અફઘાનિસ્તાન, જેણે એક સમયે અમેરિકાની મદદ લઈ તાલિબાનને તેની ધરતી પરથી ખદેડ્યુ હતુ પરંતુ તે ફરી હવે તાલિબાનના કબજામાં આવી ગયું છે. એ સમયે તાલિબાનનું હિમાયતી પાકિસ્તાન બન્યુ હતુ અને તેની ધરતી પર TTP જેવા સંગઠનોને મોટા થવા દીધા....
Published On - 6:41 pm, Tue, 21 October 25