
ભારતે UNSCની બિન-કાયમી બેઠક માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. UNSCની બિન-કાયમી બેઠક માટે ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર તાજિકિસ્તાનની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તાજિકિસ્તાનને પાકિસ્તાન સહિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) તરફથી સમર્થનનું વચન મળ્યું છે. પરંતુ, પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે જાહેરમાં કબૂલ કર્યું છે કે, ભારતની વૈશ્વિક તાકાત ખુબ વધી ગઈ છે. આથી UNSCની બિન-કાયમી બેઠક માટે ભારતનો હાથ તાજિકિસ્તાન કરતા ઉપર છે અને OIC માં ઈસ્લામિક રાષ્ટ્રો તરફથી પણ ભારતને સમર્થન મળવાની વ્યાપક શક્યતા છે.
પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલને આપેલા મુલાકાતમાં, ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે, તાજિકિસ્તાનની સરખામણીમાં ભારતની ઉમેદવારીને પ્રબળ દાવેદારની ગણાવી હતી. બાસિતે કહ્યું, “મારું માનવું છે કે ઘણા દેશો OIC સભ્યો સહિત ભારતને મત આપશે.” તેમણે ઉમેર્યું, “ઉદાહરણ તરીકે, આફ્રિકાને જુઓ. ભારત અને આફ્રિકા વાર્ષિક શિખર સંમેલનો યોજતુ આવે છે અને ખૂબ જ સારા સંબંધો ધરાવે છે. તેની સામે તાજિકિસ્તાનમાં આફ્રિકાનો શું હિસ્સો છે ? આફ્રિકાના દેશોને તાજિકિસ્તાન સાથે કોઈ પ્રકારે લેવા દેવા નથી. જે હિત છે તે ભારત સાથે વધુ છે તેથી આફ્રિકાના દેશોને ભારતમાં વધુ રસ હશે. પરિણામે, આફ્રિકન મુસ્લિમ રાષ્ટ્રો પણ ભારતને મત આપે તેવી શક્યતા છે.”
ભૂતપૂર્વ પાકિસ્તાની રાજદ્વારીએ એવુ ચોકાવનારુ સુચન કર્યું કે તાજિકિસ્તાનએ તેના પ્રયાસો વધુ તીવ્ર બનાવવા જોઈએ. તેમણે એવો પણ નિર્દેશ કર્યો કે ભારત તાજિકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે અને સંભવતઃ દેશને તેની ઉમેદવારી પાછી ખેંચવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે.
تاجکستان اور بھارت کے تعلقات ۔۔۔ آخر اتنے اہم کیوں ہیں ؟ عبدالباسط نے بتا دیا !!@abasitpak1#abnnews #decipher pic.twitter.com/VBZZHVF3wJ
— ABN NEWS (@abnnewspk) July 17, 2026
બાસિતે જણાવ્યુ કે તાજિકિસ્તાનને ખાતરી આપી શકાય છે કે જો તે આ વખતે તેનો દાવો પાછી ખેંચે છે, તો તેને ભવિષ્યમાં ભારતનો ટેકો મળશે. તેમણે ઉમેર્યું કે શક્ય છે કે તાજિકિસ્તાન તેની ઉમેદવારી પાછી ખેંચી શકે અને આવતા વર્ષે ચૂંટણી થાય ત્યારે ભારત તેને સમર્થન આપે. આનાથી ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાંથી સર્વસંમતિ ઉમેદવાર તરીકે ઉભરી શકશે.
Published On - 12:19 pm, Sat, 18 July 26