Israel Attacks On Syria : ભૂકંપની તબાહી વચ્ચે સીરિયા પર ઈઝરાયલનો મિસાઈલ હુમલો, 5ના મોત

|

Feb 20, 2023 | 2:22 PM

તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપ પછી આ પહેલો હુમલો છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 46,000ને વટાવી ગયો છે.

Israel Attacks On Syria : ભૂકંપની તબાહી વચ્ચે સીરિયા પર ઈઝરાયલનો મિસાઈલ હુમલો, 5ના મોત
ભૂકંપની તબાહી વચ્ચે સીરિયા પર ઈઝરાયલનો મિસાઈલ હુમલો
Image Credit source: Google

Follow us on

સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલાથી રાજધાનીમાં ભારે નુકસાન થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો આઘાતમાં છે. આ હુમલા પર વિદેશી મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલય અને વિદેશી બાબતોના મંત્રાલયે રવિવારે (19 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે, સીરિયાને આશા છે કે યુએન સચિવાલય અને સુરક્ષા પરિષદ આ બાબતને ગંભીરતાથી લેશે અને ઇઝરાયેલના હુમલાની નિંદા કરશે અને તેને રોકવા માટે જરૂરી પગલાં લેશે. આ ઘટના અંગે તેમની જવાબદારી નક્કી કરશે. સંયુક્ત રાષ્ટ્ર સચિવાલય અને સુરક્ષા પરિષદ વતી ગુનેગારોને સજા મળવી જોઈએ. આ ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવું જોઈએ.

અમે અમારા દુ:ખમાંથી ઉભરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે સીરિયા ભૂકંપમાં થયેલા નુકશાનને સહન કરી રહ્યા છીએ અને દેશના શહીદોને દફનાવવાનો અને વિનાશક ભૂકંપનો સામનો કરવા માટે સંવેદના, સહાનુભૂતિ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે ઇઝરાયેલી યુનિટે હવાઈ હુમલો કર્યો. આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાચો: Earthquake Turkey Syria Updates: દર્દનાક ! તંબુ નહીં, કોઈની મદદ નહીં… દુનિયા સીરિયાને બરબાદીમાં ભૂલી ગઈ !

બીજી તરફ ઈઝરાયેલની સેનાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા ઈઝરાયેલ દમાસ્કસની આસપાસના વિસ્તારોને હવાઈ હુમલાથી નિશાન બનાવી રહ્યું છે, પરંતુ હાલના સમયમાં સીરિયા ભૂકંપના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. 6 ફેબ્રુઆરીના રોજ, તુર્કી અને સીરિયામાં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક 46,000ને પાર કરી ગયો છે.

વિનાશક ભૂકંપ પછી પ્રથમ હુમલો

તુર્કી અને સીરિયામાં ત્રાટકેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ પછી આ પહેલો હુમલો છે. મંત્રાલયે કહ્યું કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ આ હવાઈ હુમલો લોકોમાં ભય પેદા કરવાનો પ્રયાસ છે. હુમલામાં રાજધાનીના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સીરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, અમારી સેનાએ હુમલાનો જવાબ આપ્યો અને ઘણી ઇઝરાયેલ મિસાઇલોને તોડી પાડી હતી. જોકે ઘણી મિસાઈલો રહેણાંક વિસ્તારોમાં પડી છે, જેના કારણે નુકસાન થયું છે.

મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન અને સીરિયન લોકો વિરુદ્ધ આ ક્રૂર હુમલાઓ અને ગુનાઓનું ચાલુ રાખવું એ પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા માટે સ્પષ્ટ ખતરો છે. સીરિયન પ્રદેશ પર ઇઝરાયેલની આક્રમક ક્રિયાઓને રોકવા માટે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય પગલાંની જરૂર છે.

Next Article