7 દશક બાદ ભારત આવી રહેલા ચિત્તાઓની પહેલી ઝલક, 8 ચિત્તાઓના કાફલામાં છે ‘કરણ-અર્જુન’ની જોડી

|

Sep 16, 2022 | 5:06 PM

તેમને હેલિકોપ્ટરના માધ્યમથી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક (Kuno National Park) લઈ જવામાં આવશે. તે ચિત્તાઓ અને તેમને લઈ જતા ખાસ વિમાનની પહેલી ઝલક સામે આવી છે. આ ચિત્તાઓના ભૂતકાળને લઈને પણ કેટલીક રસપ્રદ વાત સામે આવી છે.

7 દશક બાદ ભારત આવી રહેલા ચિત્તાઓની પહેલી ઝલક, 8 ચિત્તાઓના કાફલામાં છે કરણ-અર્જુનની જોડી
First glimpse of cheetahs

Follow us on

આવતીકાલે 17 સપ્ટેમ્બર ભારતના વડાપ્રધાન મોદીના જન્મદિવસે (PM Modi Birthday) એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. લગભગ 7 દશક બાદ ભારતની ધરતી પર ચિત્તા દેખાશે. નામીબિયાથી 8 ચિત્તાનું પરિવાર ભારત આવશે. તેમાં 5 માદા અને 3 નર ચિત્તા હશે. કાલે તેમને લઈને એક ખાસ પ્લેન ગ્વાલિયર પહોંચશે. પહેલા તેમને જયપુર લઈ જવાના હતા પણ હવે ગ્વાલિયરમાં તેમના ખાસ વિમાને લેન્ડ કરાવવામાં આવશે. ત્યારબાદ તેમને હેલિકોપ્ટરના માધ્યમથી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક (Kuno National Park) લઈ જવામાં આવશે. તે ચિત્તાઓ અને તેમને લઈ જતા ખાસ વિમાનની પહેલી ઝલક સામે આવી છે. આ ચિત્તાઓના ભૂતકાળને લઈને પણ કેટલીક રસપ્રદ વાત સામે આવી છે.

8 ચિત્તાઓમાં 5 માદા ચિત્તા

આ 8 ચિત્તાઓમાં એક 2 વર્ષની માદા ચિત્તા પણ છે, જે દક્ષિણપૂર્વ નામીબિયામાં ગોબાબીસ નજીક તેના ભાઈ સાથે મળી આવી હતી. બંને ગંભીર રીતે કુપોષિત હતા અને CCFનું માનવું છે કે, તેમની માતા જંગલમાં લાગેલી આગમાં મૃત્યુ પામી હતી. તે સપ્ટેમ્બર 2020 થી CCFના કેન્દ્રમાં રહે છે. આ સિવાય જુલાઇ 2022માં CCFના પડોશી ખેતરમાં જાળ બિછાવીને બીજી માદા ચિત્તા પકડાઇ હતી. આ ફાર્મ નામીબિયાના એક પ્રખ્યાત બિઝનેસમેનનું છે. CCF એ આંતરરાષ્ટ્રીય બિન-લાભકારી સંસ્થા છે જેનું મુખ્ય મથક નામીબીયામાં છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

એક 2.5 વર્ષની માદા ચિત્તાનો જન્મ એપ્રિલ 2020 માં એરિન્ડી પ્રાઈવેટ ગેમ રિઝર્વ ખાતે થયો હતો. તેની માતા CCFના ચિત્તા પુનર્વસન કાર્યક્રમમાં હતી અને બે વર્ષ પહેલા તેને સફળતાપૂર્વક ફરીથી જંગલમાં દાખલ કરવામાં આવી હતી. ચોથી માદા ચિત્તા 2017ના અંતમાં કેટલાક કામદારોને ગોબાબીસ નજીકના ખેતરમાંથી મળી આવી હતી. તેણી કુપોષિત પણ હતી અને તેની સારવાર અને સારવાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2019 માં નામિબિયાના ઉત્તરપશ્ચિમ ભાગમાં કામંજબ ગામ નજીક CCF કર્મચારીઓ દ્વારા અન્ય એક માદા ચિત્તાને પકડવામાં આવી હતી.

8 ચિત્તાઓમાં છે 2 ભાઈ કરણ-અર્જુનની જોડી

નામીબિયાથી આવી રહેલા આ ચિત્તાઓમાં જે 3 નર ચિત્તાઓ છે તેમાંથી 2 ભાઈઓ છે. ચિત્તા કંજર્વેશન ફંડ (CCF) અનુશાન, આ ચિત્તા નામીબિયામાં ઓત્જીવારોન્ગો પાસે સીસીએફના 58000 હેક્ટેર ક્ષેત્રમાં ફેલાયેલા અભિયારણ્યમાં જુલાઈ 2021થી રહે છે. આ પ્રજાતિના નર ચિત્તા જીવનભર સાથે રહે છે. તેઓ એકસાથે શિકાર કરતા હોય છે. તેથી તેમને કરણ-અર્જુનની જોડી કહેવામાં આવે છે. એક અન્ય નર ચિત્તોનો નામીબિયાના સંરક્ષિત વન્યજીવ અભ્યારણ્ય એરિન્ડી પ્રાઈવેટ ગેમ રિઝર્વમાં માર્ચ 2018માં જન્મ થયો હતો.

કરન-અર્જુનની જોડી

 

નામિબિયાથી આવી રહેલા ચિત્તાઓની પહેલી ઝલક

 

 

 

આ પ્લેનમાં આવશે ચિત્તા

 

 

 

 

 

કાલે 7 દશક બાદ આ 8 ચિત્તા નામિબિયાથી ભારત ખાસ બોઈંગ વિમાન B747 Jumboમાં આવશે. તેમની સ્વાસ્થ્યની તપાસ મહિનાઓથી થઈ રહી હતી. હાલ તેમને વિમાનમાં લઈ જવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેના માટે વિમાનમાં ખાસ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી તેની મુખ્ય કેબિનમાં ચિત્તાઓને રાખી શકાય અને સુરક્ષિત વિમાન મારફતે ભારતમાં લાવી શકાય. આ તમામ ચિત્તાઓને ભૂખા રાખવામાં આવશે જેથી તેમની તબિયત બગડે નહીં. લગભગ 11 કલાક આ ખાસ વિમાન આકાશમાં સફર ખેડીને ભારત પહોંચશે. તેના માટે 16 કલાક જેટલું ઈંધણ આ વિમાનમાં ભરવામાં આવ્યુ છે.

Next Article