Navratri in Kabul Video: તાલિબાનના રાજમા પણ રામ નામનો હુંકાર, ‘હરે રામા, હરે કૃષ્ણા’ની ધુન સાથે મનાવી હિન્દુઓએ મંદિરમાં નવરાત્રિ

|

Oct 13, 2021 | 12:37 PM

Navratri in Kabul Afghanistan: અહીના હિન્દુઓ અને શીખોએ ભારત સરકારને અપીલ પણ કરી હતી કે તેને અહીથી જલ્દી બહાર કાઢવામાં આવે. કારણ કે અહીની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે

Navratri in Kabul Video: તાલિબાનના રાજમા પણ રામ નામનો હુંકાર, હરે રામા, હરે કૃષ્ણાની ધુન સાથે મનાવી હિન્દુઓએ મંદિરમાં નવરાત્રિ
Navratri in Kabul Afghanistan

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનીઓ (Taliban) ના કબ્જા પછી જે ડરનો માહોલ હતો તે હવે જાણે થોડો ઓસરતો જાય છે, જેનું તાજું ઉદાહરણ રાજધાની કાબુલમાં જોવા મળ્યું હતું. જ્યાં હિન્દુઓએ નવરાત્રીના પવિત્ર પ્રસંગે ભજન-કીર્તન કરીને જાગરણ કર્યું હતું. (Navratri in Kabul Afghanistan)

મંગળવારે હિન્દુઓએ કાબુલ સ્થિત અસમાઈ મંદિર (Asamai mandir)માં કીર્તન અને જાગરણનો ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો. કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેને અસમાઈ મંદિરના ગણાવવામાં આવી રહ્યા છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

મીડિયા રિપોર્ટ અનુસાર કાબુલ સ્થિત અસમાઈ મંદિરની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રામ શરણ સિંહે કહ્યું કે તેને કીર્તન અને જાગરણની સાથે સાથે ભંડારનું આયોજન પણ કર્યું હતું, જેમાં જરૂરિયાતમંદને ખાવાનું પણ આપાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં લગભગ 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં અફઘાનમાં રહેતા હિન્દુઓ સાથે શીખો પણ જોડાયા હતા.

જો કે અહીના હિન્દુઓ અને શીખોએ ભારત સરકારને અપીલ પણ કરી હતી કે તેને અહીથી જલ્દી બહાર કાઢવામાં આવે. કારણ કે અહીની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. જેને લઈને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આપને જાણાવી દઈએ કે આ મંદિર કાબુલમાં જ સ્થિત ‘કરતે પરવાન’ ગુરુદ્વારેથી 4-5 કિલોમીટર દૂર છે. છેલ્લા સપ્તાહે આ ગુરુદ્વારે અમુક તાલિબાનીઓએ તોડફોડ પણ કરી હતી.

આ પણ વાંચો: Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ

આ પણ વાંચો: Lakhimpur Kheri Case: રાહુલ, પ્રિયંકા સહિતના વિપક્ષના નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે, લખીમપુર ખીરી કેસ સંદર્ભે, આવેદનપત્ર આપશે

 

Next Article