DR. FAUSI : ભારત આ ત્રણ સૂત્રો પર કામ કરશે તો થશે કોરોના પર નિયંત્રણ

|

May 04, 2021 | 5:29 PM

DR.FAUSI : વ્હાઈટ હાઉસના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડો.ફૌસીએ અગાઉ ભારતમાં લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી.

DR. FAUSI : ભારત આ ત્રણ સૂત્રો પર કામ કરશે તો થશે કોરોના પર નિયંત્રણ
FILE PHOTO

Follow us on

DR.FAUSI : વિશ્વના ચેપી રોગના ટોચના નિષ્ણાતોમાંના એક તરીકે ગણાતા ડો.ફૌસીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન ભારતને કોરોના મહામારી પર નિયંત્રણ લાવવા માટે કેટલાક સૂચનો કર્યા હતા. આ અગાઉ તેમણે ભારતમાં લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી. હવે તેમણે ફરી ભારતને ત્રણ સૂત્રોને અનુસરવાનું સૂચન કર્યું છે જેનાથી કોરોના પર નિયંત્રણ લાવી શકાશે.

સેનાની મદદથી હંગામી હોસ્પિટલો બનાવવી જોઈએ
DR.FAUSI એ કહ્યું કે ગયા વર્ષે જ્યારે ચીનમાં ગંભીર સમસ્યા આવી હતી, ત્યારે તેણે પોતાના સંસાધનોને ઝડપથી નવી હોસ્પિટલો બનાવવા માટે કામે લગાડી દીધા હતા જેથી તે બધાને હોસ્પિટલો પૂરી પાડી શકે જેમને એડમિટ કરવાની જરૂર હતી. તેમણે મીડિયા અહેવાલોને ટાંકીને કહ્યું કે હોસ્પિટલમાં બેડની તીવ્ર અછત છે અને અસ્થાયી વ્યવસ્થામાં લોકોની સંભાળ રાખવામાં આવી રહી છે.

સાત અમેરિકન રાષ્ટ્રપતિઓ સાથે કામ કરી ચુકેલા ડો.ફૌસીએ સૂચવ્યું હતું કે ભારતે તેની સેનાની મદદથી ફિલ્ડ હોસ્પિટલો બનાવવી જોઈએ, જે યુદ્ધ દરમિયાન બનાવવામાં આવે છે. જેથી હોસ્પિટલમાં રહેલા લોકોને બેડ મળી શકે. તેમણે કહ્યું કે ભારત સરકાર કદાચ પહેલાથી જ આ કરી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે
DR.FAUSI એ કહ્યું કે ભારતે હજી પણ લોકોને મોટા પાયે રસી આપવી જોઈએ. પછી ભલે તે તેમના દ્વારા વિકસિત રસીઓ હોય અથવા રશિયા અને અમેરિકા જેવા અન્ય સપ્લાયર્સ પાસેથી ખરીદેલી રસીઓ. તેમ છતાં તેમણે કહ્યું કે, આજે ઉદભવેલી સમસ્યાનું નિવારણ રસીકરણથી આવશે નહીં. રસીકરણથી કેટલાક અઠવાડિયામાં સમસ્યાને રોકવામાં મદદ કરશે.

સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવે
DR.FAUSI એ કહ્યું કે કોરોના સંક્રમણની સાંકળ તોડવા માટે વિશ્વભરના દેશોએ ઘણી વખત લોકડાઉન લગાવી દીધું છે. આવી સ્થિતિમાં છ મહિનાના લોકડાઉનની જરૂર નથી. થોડા અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરી શકો છો. તેમણે કહ્યું કે લોકડાઉન સંક્રમણ દરને ઘટાડે છે અને સંક્રમણનું સાતત્ય તોડે છે.

આ પણ વાંચો : વિશાખાપટ્ટનમમાં નવા કોરોના સ્ટ્રેને મચાવ્યો હડકંપ, 3-4 દિવસમાં જ દર્દીઓની હાલત ખરાબ

Next Article