Coronavirus Origin : વૈજ્ઞાનિકો બોલ્યા, કોરોના વાયરસ ચીનની વુહાન લેબથી ઉદભવ્યાની શકયતાને નકારી ના શકાય

|

May 14, 2021 | 7:06 PM

ભારતમાં જ નહીં વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના રોગચાળો તબાહી મચાવી રહી છે. પરંતુ હજી સુધી કોઈને ખબર નથી કે તેની શરૂઆત કેવી રીતે થઈ. જો કે, વિશ્વના ટોચના વૈજ્ઞાનિક જૂથનું કહેવું છે કે કોરોના વાયરસ એક લેબમાંથી ઉદ્ભવેલો છે. જ્યાં સુધી તે ખોટું સાબિત ન થાય ત્યાં સુધી ગંભીરતાથી લેવું જોઈએ.

Coronavirus Origin : વૈજ્ઞાનિકો બોલ્યા, કોરોના વાયરસ ચીનની વુહાન લેબથી ઉદભવ્યાની શકયતાને નકારી ના શકાય
કોરોના વાયરસ ચીનની વુહાન લેબથી ઉદભવ્યાની શકયતાને નકારી ના શકાય

Follow us on

Coronavirus Origin :  ભારતમાં છેલ્લા એક મહિનાથી Corona વાયરસની બીજી લહેર પ્રભાવી બની છે. જેમાં દરરોજ ત્રણ લાખથી વધુ નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને અનેક લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. આ સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના રોગચાળો તબાહી મચાવી રહી છે. પરંતુ હજી સુધી કોઈને ખબર નથી કે તેની શરૂઆત કેવી રીતે થઈ. જો કે, વિશ્વના ટોચના વૈજ્ઞાનિક જૂથનું કહેવું છે કે કોરોના વાયરસ એક લેબમાંથી ઉદ્ભવેલો છે. જ્યાં સુધી તે ખોટું સાબિત ન થાય ત્યાં સુધી ગંભીરતાથી લેવું જોઈએ.

2019 ના અંતમાં ચીનના વુહાન શહેરથી વિશ્વભરમાં Corona વાયરસથી 30 લાખથી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે કરોડો લોકોને તેનો ચેપ લાગ્યો હતો. ભારત અને અમેરિકા જેવા દેશોએ વાયરસ સામે લડત ચાલુ રાખી છે. વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોની આ ટીમમાં કુલ 18 લોકોનો સમાવેશ થાય છે. જેમણે વાયરસ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

ટીમમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ રવિન્દ્ર ગુપ્તા અને ફ્રેડ હચીન્સન કેન્સર રિસર્ચ સેન્ટરમાં એવોલ્યુશન વાયરસનો અભ્યાસ કરનારા જેસી બ્લૂમ પણ છે. આ લોકોએ કહ્યું, રોગચાળાના મૂળને નિર્ધારિત કરવા માટે હજી વધુ તપાસની જરૂર છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સ્ટેનફોર્ડ, ડેવિડ રેલમેનના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર સહિતના વૈજ્ઞાનિકોએ એક જર્નલમાં જણાવ્યું હતું કે, “લેબ અને ઝૂનોટિક સ્પીલઓવર બંનેમાંથી વાયરસના અચાનક બહાર નીકળવાના સિદ્ધાંતો બાકી છે. લેખકો જર્નલમાં આગળ જણાવે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) વાયરસના ઉત્પત્તિના સંબંધમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં સંતુલિત દૃષ્ટિકોણ આપ્યો નથી. તે લેબમાંથી પણ આવી શકે છે.

તેના અંતિમ અહેવાલમાં, તે ચીની વૈજ્ઞાનિકો સાથે સંયુક્ત રીતે લખવામાં આવ્યું હતું. WHOની ટીમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વુહાનની આસપાસ અને આજુબાજુના ચાર અઠવાડિયા ગાળ્યા હતા. તે ટીમે જણાવ્યું હતું કે વાયરસ બીજા પ્રાણી દ્વારા માણસોમાં ફેલાયો હોય શકે છે. જો કે, પ્રયોગશાળામાંથી વાયરસ બહાર આવવાના સિદ્ધાંતની શક્યતા નથી.

જ્યારે સમગ્ર વિશ્વમાં રાજકારણીઓથી લઈને વૈજ્ઞાનિક સુધી Corona  વાયરસના ઉત્પત્તિ વિશે વિવિધ દાવા કરી રહ્યા છે. ઘણા દેશોએ તેની માટે ચીનને દોષી ઠેરવ્યા છે. તાજેતરમાં નોંધાયેલા ગુપ્તચર અહેવાલમાં, 2015 થી ચીન પણ તેના પર કામ કરી રહ્યું હોવાની ચર્ચા છે. ટોચના વૈજ્ઞાનિકોની ટીમે આગળ સમજાવ્યું કે પૂરતા ડેટા ન આવે ત્યાં સુધી આપણે કુદરતી અને લેબ બંનેમાંથી વાયરસ બહાર આવવાની કલ્પનાને ગંભીરતાથી લેવી જોઈએ.

તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે કેટલાક દેશોમાં કમનસીબ એશિયન વિરોધી ભાવનાનામાં આપણે એ પણ નોંધવું જોઈએ કે રોગચાળાની શરૂઆતમાં તે ચીની ડોકટરો, વૈજ્ઞાનિકો, પત્રકારો અને નાગરિકો હતા જેમણે વાયરસના ફેલાવા વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. વિશ્વ સાથે તે જીવ ગુમાવવાની કિંમતે પણ માહિતી  શેર કરી હતી.

Published On - 7:00 pm, Fri, 14 May 21

Next Article