Breaking News : બાલ-બાલ બચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, વિમાન સાથે અથડાવાનો હતો ડ્રોન, સુરક્ષામાં મોટી ચૂક !

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીનું વિમાન મોલ્ડોવાથી નોર્વે માટે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે એક અજાણ્યા ડ્રોન સાથે અથડાતાં બચી ગયું છે. આ ઘટનાથી તેમની સુરક્ષામાં મોટી અને ગંભીર ચૂક સામે આવી છે.

Breaking News : બાલ-બાલ બચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, વિમાન સાથે અથડાવાનો હતો ડ્રોન, સુરક્ષામાં મોટી ચૂક !
Volodymyr Zelenskyy
Image Credit source: Getty Images
| Updated on: Sep 10, 2026 | 8:34 AM

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી, નોર્વેના દિવંગત રાજા હેરાલ્ડ પાંચમાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઓસ્લો જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની સુરક્ષાને લઈને ગંભીર ખતરો ઉભો થયો હતો. નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરેએ બુધવારે (09 સપ્ટેમ્બર) સરકારી પ્રસારણકર્તા NRK સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના યુક્રેનના રાષ્ટ્રપતિની મુસાફરી દરમિયાન વડાપ્રધાન સ્ટોરેએ NRKને જણાવ્યું કે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે ઝેલેન્સ્કીનું વિમાન લગભગભ થયેલા સુરક્ષા ખતરાની ગંભીરતા દર્શાવે છે.

યુક્રેને ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી

વડાપ્રધાન સ્ટોરેએ NRKને જણાવ્યું કે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે ઝેલેન્સ્કીનું વિમાન લગભગ એક ડ્રોનની ચપેટમાં આવી ગયું હતું. જોકે, યુક્રેનના અધિકારીઓ તરફથી હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ડ્રોનના ખતરાને કારણે ફ્લાઇટમાં વિલંબ

વોલોદિમિર ઝેલેન્સ્કી મંગળવારે (08 સપ્ટેમ્બર) સાંજે સુરક્ષિત રીતે ઓસ્લો પહોંચી ગયા હતા. તેઓ મોલ્ડોવાથી રવાના થઈને રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ સમારોહમાં વિશ્વભરના અનેક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર રહી હતી. આ પહેલાં ઝેલેન્સ્કીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરે સાથે પણ મુલાકાત કરી હતી. નોર્વેના વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય સચિવ ભાનુજા રસિયાહે NRKને જણાવ્યું કે મોલ્ડોવાના હવાઈ ક્ષેત્રમાં ડ્રોનનો ખતરો હતો. તેના કારણે ઝેલેન્સ્કીની ઓસ્લો જતી ફ્લાઇટમાં વિલંબ થયો હતો.

નોર્વેના નાણામંત્રીએ પણ કરી પુષ્ટિ

નોર્વેના નાણામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ઓસ્લો પહોંચ્યા બાદ થોડા સમય પછી ઝેલેન્સ્કીએ પોતે તેમને આ ઘટના વિશે માહિતી આપી હતી. સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે ઝેલેન્સ્કીએ તેમની સાથેની બેઠક દરમિયાન આ ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ફ્લાઇટમાં વિલંબ થયો હતો અને વિમાનને લઈને કેટલીક સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ હતી, પરંતુ તેમની પાસે ઘટનાની વધુ વિગતો નહોતી.

તેમણે વધુમાં કહ્યું કે ઝેલેન્સ્કીને ત્યાંથી બહાર નીકળવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યુક્રેનની બહાર મુસાફરી કરવી ક્યારેય સરળ નથી. તેમ છતાં, તેમણે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જરૂરી સમય અને પ્રયાસ કર્યા.

રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા ઝેલેન્સ્કી

સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે સુરક્ષા જોખમો છતાં અંતિમ સંસ્કારમાં ઝેલેન્સ્કીની હાજરી મહત્વપૂર્ણ હતી. NRK અનુસાર, તેમણે કહ્યું કે બુધવારે રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કાર દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિને વિશ્વના અન્ય નેતાઓ સાથે ચાલતા જોવું પ્રભાવશાળી હતું.

અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ ઝેલેન્સ્કીએ X પર દિવંગત રાજા હેરાલ્ડને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે યુક્રેન નોર્વે તરફથી મળેલી મદદ માટે હંમેશા આભારી રહેશે. આ સહયોગ માત્ર નોર્વેની સરકાર તરફથી નહીં, પરંતુ શાહી પરિવાર અને નોર્વેના લોકો તરફથી પણ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો, Breaking News : ગાંધીનગરના કુડાસણ પાસે નિર્માણાધીન ઇમારત ધરાશાયી, 10-15 લોકો દબાયા

Published On - 8:22 am, Thu, 10 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.