Breaking News : અમેરિકાના ટેક્સાસમાં કુદરતનો કહેર ! ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ, 49 લોકોના મોત અનેક લોકો ગુમ

અમેરિકાના ટેક્સાસમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. શુક્રવારે અચનાક આવેલા પૂરના પગલે હિલ કન્ટ્રીમાં ભારે તબાહી મચાવી દીધી હતી. ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીમાં અચનાક પૂર આવ્યું છે. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે.

Breaking News : અમેરિકાના ટેક્સાસમાં કુદરતનો કહેર ! ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ, 49 લોકોના મોત અનેક લોકો ગુમ
| Updated on: Jul 06, 2025 | 9:44 AM

અમેરિકાના ટેક્સાસમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. શુક્રવારે અચનાક આવેલા પૂરના પગલે હિલ કન્ટ્રીમાં ભારે તબાહી મચાવી દીધી હતી. ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીમાં અચનાક પૂર આવ્યું છે. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે. તેમજ ઘણા લોકો ગુમ થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા લોકોની ઓળખ માટે બચાવ ટીમો ઝડપથી કામ કરી રહી છે.

વાસ્તવિકતામાં, ગુઆડાલુપે નદીની આસપાસના વિસ્તારમાં એક મહિના જેટલો વરસાદ માત્ર થોડા કલાકોમાં પડ્યો, જેના કારણે નદીનું પાણીનું સ્તર 29 ફૂટ વધી ગયું અને આ ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ.

49 લોકોના મોત

આ ભયાનક પૂરને કારણે 15 બાળકો સહિત 49 લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં કેમ્પ મિસ્ટિક સમર કેમ્પમાં જતી 27 છોકરીઓનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, મૃતકોમાંથી 8 લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. યુએસ સરકારનું કહેવું છે કે ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો પોતાનું કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 850 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

 

હવામાન વિભાગે મધ્યમ વરસાદની ચેતવણી આપી હતી

યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય હવામાન સેવાએ થોડા દિવસો પહેલા મધ્યમ પૂરની ચેતવણી આપી હતી. તેમણે આટલા ભારે વરસાદની આગાહી કરી ન હતી. નોઈમે કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સિસ્ટમને અપગ્રેડ કરવા માટે કામ કરી રહ્યું છે.

ટ્રમ્પ આપત્તિ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરશે ?

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે શનિવારે જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપત્તિ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવા કહ્યું છે. રાજ્યપાલે કહ્યું કે તેમણે પોતે પણ અસરગ્રસ્ત વિસ્તાર માટે આવું જ કંઈક કર્યું છે. તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસ દ્વારા આપત્તિની ઘોષણાથી અસરગ્રસ્ત લોકો માટે ફેડરલ સહાયનો માર્ગ ખુલશે અને લોકોને મોટી રાહત મળશે.

પ્રશાસને હવામાન વિભાગના કર્મચારીઓમાં કાપ મૂક્યો હતો

નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક (NOA) ના ભૂતપૂર્વ ડિરેક્ટર રિક સ્પિનરાડે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે હવામાન વિભાગમાંથી હજારો કર્મચારીઓને છૂટા કર્યા હતા. આના કારણે ઘણી હવામાન કચેરીઓમાં સ્ટાફની અછત સર્જાઈ છે. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે ટેક્સાસમાં પૂરની આગોતરી ચેતવણીનો અભાવ પણ સ્ટાફ કાપનું પરિણામ હતું કે નહીં. રિકે કહ્યું કે પૂરના કારણે થયેલા આ વિનાશ પછી, લોકો એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવતી હવામાન આગાહીની ક્ષમતા પર શંકા કરવાનું શરૂ કરશે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us