દુર્ગા પૂજા માટે 5 દિવસની રજાની કરી માગ, Bangladesh ના હિંદુઓ થયા લાલઘુમ, માંગણીઓને લઈને આજે મળશે મોહમ્મદ યુનુસને

|

Aug 12, 2024 | 8:21 AM

Bangladesh News update : શનિવારે ઢાકા સહિત બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં હિંદુ સમુદાયના વિરોધ બાદ વચગાળાની સરકારના વડા ડૉ. યુનુસે હિંદુ વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળને મળવા બોલાવ્યા છે. હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ વચગાળાની સરકાર પાસે દુર્ગા પૂજા માટે 5 દિવસની રજા સહિત આઠ મુદ્દાની માંગણી કરી છે.

દુર્ગા પૂજા માટે 5 દિવસની રજાની કરી માગ, Bangladesh ના હિંદુઓ થયા લાલઘુમ, માંગણીઓને લઈને આજે મળશે મોહમ્મદ યુનુસને
Bangladesh Hindu demands 5 days holiday for Durga puja

Follow us on

Bangladesh News update : બાંગ્લાદેશમાં શેખ હસીનાના બળવા અને હિંસા દરમિયાન હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘણાની હત્યા કરવામાં આવી અને દુકાનો લૂંટવામાં આવી. શનિવારે ઢાકા સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં હિન્દુ સમુદાયે આનો વિરોધ કર્યો હતો.

આ પછી વચગાળાની સરકારના વડા ડૉ. યુનુસે સોમવારે હિન્દુ વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળને મળવા આમંત્રણ આપ્યું છે. સરકાર અને હિન્દુ સમુદાય વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવામાં આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપનાની માગ કરી

હિંદુ વિદ્યાર્થી સંગઠનોએ તેમની આઠ મુખ્ય માંગણીઓને લઈને જોરદાર અવાજ ઉઠાવ્યો છે. તેમની મુખ્ય માગ લઘુમતીઓના સંરક્ષણ સાથે સંબંધિત છે, જેમાં તેમણે અત્યાચારના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપનાની માગ કરી છે. તેમનું કહેવું છે કે આ ટ્રિબ્યુનલ ગુનેગારોને ઝડપી અને યોગ્ય સજા સુનિશ્ચિત કરશે અને પીડિતોના વળતર અને પુનર્વસનની વ્યવસ્થા કરશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

લઘુમતી સંરક્ષણ કાયદો અને મંત્રાલયની માગ

બીજી માંગમાં હિંદુ વિદ્યાર્થી સંગઠનોએ ‘લઘુમતી સંરક્ષણ અધિનિયમ’ને તાત્કાલિક લાગુ કરવાની માગ કરી છે. આ ઉપરાંત તેમણે લઘુમતી બાબતોના મંત્રાલયની સ્થાપના કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી છે, જે લઘુમતીઓના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમના હિતોનું રક્ષણ કરશે.

દુર્ગા પૂજા માટે જાહેર રજાની માગ

વિદ્યાર્થીઓની અંતિમ માગ શારદીય દુર્ગા પૂજા દરમિયાન 5 દિવસની જાહેર રજા જાહેર કરવાની છે. તેમનું કહેવું છે કે હિંદુ સમુદાય માટે દુર્ગા પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે અને તેને ઉજવવા માટે પૂરતો સમય મળવો જોઈએ.

હિન્દુ વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો તેઓ દેશભરમાં અસહકાર આંદોલન ચલાવશે. હવે સૌની નજર સોમવારે યોજાનારી આ મહત્વની બેઠક પર છૉ. જેમાં આ માંગણીઓ પર સરકારનું વલણ સ્પષ્ટ થશે.

  1. લઘુમતીઓ સામેના અત્યાચારના કેસોની ઝડપી સુનાવણી માટે ઝડપી ટ્રિબ્યુનલની સ્થાપના કરો. જેથી ગુનેગારોને ઝડપી અને યોગ્ય સજા મળી શકે અને પીડિતોને પૂરતું વળતર અને પુનર્વસન પૂરું પાડી શકાય.
  2. ‘લઘુમતી સંરક્ષણ અધિનિયમ’ તાત્કાલિક લાગુ કરો.
  3. લઘુમતી બાબતોના મંત્રાલયની સ્થાપના કરો.
  4. હિન્દુ ધાર્મિક કલ્યાણ ટ્રસ્ટને હિન્દુ ફાઉન્ડેશનમાં રૂપાંતરિત કરો અને તે જ રીતે બૌદ્ધ અને ખ્રિસ્તી ધાર્મિક કલ્યાણ ટ્રસ્ટને ફાઉન્ડેશનમાં રૂપાંતરિત કરો.
  5. ‘પ્રાપ્ત મિલકતની પુનઃપ્રાપ્તિ અને જાળવણી માટે કાયદો’ ઘડવો અને ‘વેસ્ટેડ પ્રોપર્ટી રીટર્ન એક્ટ’નો યોગ્ય રીતે અમલ કરો.
  6. દરેક શૈક્ષણિક સંસ્થામાં લઘુમતીઓ માટે પૂજા સ્થાનો બનાવો અને દરેક હોસ્ટેલમાં પ્રાર્થના રૂમની જોગવાઈ કરો.
  7. ‘સંસ્કૃત અને પાલી શિક્ષણ બોર્ડ’નું આધુનિકીકરણ કરો.
  8. શારદીય દુર્ગા પૂજા દરમિયાન 5 દિવસની જાહેર રજા જાહેર કરો.

Published On - 7:50 am, Mon, 12 August 24

Next Article