ભારતથી ચોરી થયેલી 14 મૂલ્યવાન કલાકૃતિને પરત કરશે ઓસ્ટ્રેલિયા, કાંસા અને પથ્થરની મૂર્તિ છે સામેલ

|

Jul 31, 2021 | 6:49 PM

1989 અને 2009 ની વચ્ચે આ કલાકૃતિઓને NGA માં સામેલ કરવામાં આવી હતી. સિડની મોર્નિંગ હેરાલ્ડે અહેવાલ આપ્યો હતો કે આ તમામ કલાકૃતિઓ દાણચોરીના વેપારી સુભાષ કપૂર પાસેથી લેવામાં આવી હતી.

ભારતથી ચોરી થયેલી 14 મૂલ્યવાન કલાકૃતિને પરત કરશે ઓસ્ટ્રેલિયા, કાંસા અને પથ્થરની મૂર્તિ છે સામેલ
National Gallery of Australia

Follow us on

નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયા (National Gallery of Australia-NGA) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે તેના એશિયન આર્ટ કલેક્શનમાંથી 14 કલાકૃતિઓ ભારત સરકારને પરત કરશે. પરત કરવામાં આવનાર કલાકૃતિઓમાં ભારતીય વેપારી સુભાષ કપૂરની 13 અને વિલિયમ વોલ્ફેની પાસેથી લેવામાં આવી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ચોથી વખત છે જ્યારે NGA એ કપૂર દ્વારા ખરીદેલી ચીજવસ્તુઓ ભારત સરકારને પરત કરી છે. તેમાં છ કાંસા તથા પથ્થરની મૂર્તિ, પિતળની એક મૂર્તિ, પેઇન્ટેડ સ્ક્રોલ અને છ ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે. કપૂર સામે ભારતમાં કળાની વૈશ્વિક દાણચોરીનું રેકેટ ચલાવવનો આરોપ છે.

આ કલાકૃતિઓ ભારત મોકલતા પહેલા તેમના મૂળ સ્થળની શોધ કરવામાં આવશે. એનજીએના ડિરેક્ટર નિક મિત્જેવિકે જણાવ્યું હતું કે આ પગલાં સંગ્રહોના નૈતિક સંચાલનમાં અગ્રણી બનવા માટે નેશનલ ગેલેરીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

“આ બદલાના પ્રથમ પરિણામ તરીકે ગેલેરી ભારતીય કલા સંગ્રહમાંથી 14 વસ્તુઓ તેના મૂળ દેશમાં પરત કરી રહી છે. તે એક સાંસ્કૃતિક જવાબદારી છે અને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સહકારનું પરિણામ છે. અમે તેમના સહકાર માટે ભારત સરકારના આભારી છીએ અને ખુશ છીએ કે હવે અમે આ સાંસ્કૃતિક રીતે નોંધપાત્ર વસ્તુઓ પરત કરી શકીએ છીએ.”

ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનર મનપ્રીત વોહરાએ ઓસ્ટ્રેલિયન સરકાર અને નેશનલ ગેલેરીના આર્ટવર્ક પરત કરવાના નિર્ણયને આવકાર્યો હતો. એનજીએના ડિરેક્ટરે જણાવ્યું હતું કે ગેલેરીનું માનવું છે કે છ કલાકૃતિઓ ભારતમાંથી ચોરાઈ અથવા ગેરકાયદેસર રીતે ભારતમાંથી દૂર કરવામાં આવી હતી.

એનજીએએ કપૂરની ‘આર્ટ ઓફ ધ પાસ્ટ’ ગેલેરીમાં 22 કલાકૃતિઓ માટે છેલ્લા ઘણા વર્ષમાં 1.7 કરોડ ડોલર ખર્ચ્યા હતા, જેમાં 11મી સદીની ચોલા કાંસાની મૂર્તિ શિવ નટરાજ પણ સામેલ હતી. જેના માટે એનજીએએ 2008 માં 50 લાખ ડોલરથી વધુ ખર્ચ કર્યો હતો.

જ્યારે ભારતીય પોલીસે 2012 માં કપૂરની ધરપકડ કરી હતી, ત્યારે તેઓએ ચોરાયેલી વસ્તુઓમાં શિવની નૃત્ય મૂર્તિ પણ સૂચિબદ્ધ કરી હતી અને ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે આ મૂર્તિ દક્ષિણ ભારતના એક મંદિરમાંથી લેવામાં આવી હતી. 2014 માં ઓસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન ટોની એબોટે આ પ્રતિમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી હતી.

 

આ પણ વાંચો :આ દેશમાં સિનિયર સિટિઝનને લગાવાશે Covid-19 વેક્સીનનો બુસ્ટર ડોઝ

આ પણ વાંચો : સેનાને કાશ્મીરમાં મોટી સફળતા, આતંકવાદી મસૂદ અઝહરના ભત્રીજાને એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

Next Article