મંદિરો-હિન્દુઓ પર હુમલા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાનો આદેશ – ધર્મના નામે હિંસા કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે

|

Oct 20, 2021 | 6:44 AM

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ તીવ્ર બન્યા છે. દુર્ગા પૂજા પંડાલો પર હુમલા બાદ હવે આ સમુદાયના ઘરો અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. કેટલાક મકાનોને આગ લગાડવામાં આવી છે.

મંદિરો-હિન્દુઓ પર હુમલા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાનો આદેશ - ધર્મના નામે હિંસા કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે
Bangladesh PM Sheikh Hasina

Follow us on

Bangladesh PM on Ongoing Violence: બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ મંગળવારે ગૃહ પ્રધાનને તાજેતરમાં હિંસા ભડકાવવા માટે ધર્મનો ઉપયોગ કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હસીનાએ લોકોને તથ્યોની તપાસ કર્યા વગર સોશિયલ મીડિયા પર કંઈ પણ વસ્તું પર વિશ્વાસ ન કરવા કહ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 50 વર્ષ પહેલા પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદીનો વિરોધ કરનારા ઘરેલુ તત્વો હજુ પણ હિંસા ભડકાવવા માટે નફરત ભર્યા ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે.

ગત બુધવારથી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા વધ્યા છે.  અગાઉ દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત રીતે નિંદાજનક પોસ્ટ જોવા મળી હતી. ટોળાએ રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશમાં 66 મકાનોને નુકસાન પહોંચાડ્યું અને ઓછામાં ઓછા 20 મકાનોને આગ લગાવી (Attack on Hindus in Bangladesh). ઢાકા ટ્રિબ્યુન અખબારે કેબિનેટ સચિવ ખંડકર અનવરુલ ઇસ્લામને ટાંકીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી હસીનાએ મંગળવારે સાપ્તાહિક કેબિનેટ બેઠક દરમિયાન ગૃહ પ્રધાન અસદુજજ્માં ખાનને નિર્દેશ આપ્યો હતો કે  તેમની સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવે જેઓએ ધર્મનો ઉપયોગ કરીને હિંસા ભડકાવી  હતી.

ગૃહ મંત્રાલયે સતર્ક રહેવા કહ્યું

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વડાપ્રધાને, જેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનથી વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો, તેમણે દેશના લોકોને હકીકતો (Bangladesh Violence Today) તપાસ્યા વગર સોશિયલ મીડિયા પર કોઈ પણ વાત પર વિશ્વાસ ન કરવા કહ્યું છે. તેમણે ગૃહ મંત્રાલયને સતર્ક રહેવા અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અલગ અલગ હુમલામાં હિન્દુ સમુદાયના છ લોકો માર્યા ગયા છે, પરંતુ આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. ગૃહ મંત્રીએ કહ્યું, “કોમીલ્લા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.” તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય આરોપીઓને ન્યાયના દાયરામાં લાવવા માટે કામ કરી રહ્યું છે.

પીડિતોને સહાયની જાહેરાત

હસીનાએ પીડિતોના પરિવારોને તમામ શક્ય મદદ આપવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયનું આ નિવેદન રેખાંકિત કરે છે કે બાંગ્લાદેશ સરકાર આવી ઘટનાઓની નિંદા કરે છે અને હિન્દુ સમુદાય (Hindus in Bangladesh) ની અંદર અને બહારથી આવેલી પ્રતિક્રિયાની ગંભીર નોંધ લે છે. મંત્રાલયે કહ્યું કે સરકારે હિંદુ ધાર્મિક સ્થળો અને મૂર્તિઓના રક્ષણ માટે પોલીસ અને વહીવટીતંત્રની મદદ લઈને તાત્કાલિક પગલાં ભરતા અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા હતા. પોલીસે દેશના વિવિધ ભાગોમાં 450 શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને વધુ શંકાસ્પદોને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે.

450 લોકોની કરાઈ ધરપકડ

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 71 કેસ નોંધાયા છે અને 450 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન, શાસક અવામી લીગ પાર્ટી તાજેતરની કોમી હિંસા (Bangladesh Violence Latest Update) સામે મંગળવારે દેશભરમાં શાંતિપૂર્ણ રેલીઓ અને શાંતિપૂર્ણ સરઘસો કાઢી રહી છે. અવામી લીગના જનરલ સેક્રેટરી ઓબૈદુલ કાદિરે અહીં એક રેલીમાં કહ્યું, “હિંદુ ભાઈઓ અને બહેનો, ડરશો નહીં. શેખ હસીના અને અવામી લીગ તમારી સાથે છે.

આ પણ વાંચો :  Capt Amarinder Singhની મોટી જાહેરાત, નવેમ્બરમાં બનાવશે પોતાની પાર્ટી, જાણો કોની સાથે ગઠબંધન કરશે

Next Article