US સાંસદ શ્રી થાનેદારે કહ્યું, ભારત સાથે સંબંધો મજબૂત કરવાની જરૂર, આર્થિક સંબંધો મજબૂત કરવા કામ કરીશ

|

Jan 29, 2023 | 3:56 PM

ભારત અને અમેરિકાના સંબંધો વિશે વાત કરતા એક અમેરિકન (US) સાંસદે કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો એટલા મજબૂત નથી જેટલા હોવા જોઈએ. તેમણે કહ્યું કે તેઓ ભારત સાથે વધુ સારા સંબંધો સ્થાપિત કરવા માટે કામ કરશે.

US સાંસદ શ્રી થાનેદારે કહ્યું, ભારત સાથે સંબંધો મજબૂત કરવાની જરૂર, આર્થિક સંબંધો મજબૂત કરવા કામ કરીશ
ભારતીય-અમેરિકન સાંસદ શ્રી થાનેદાર
Image Credit source: Google

Follow us on

ભારતીય-અમેરિકન સાંસદ શ્રી થાનેદારે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો એટલા મજબૂત નથી રહ્યા જેટલા હોવા જોઈએ. તેમણે વચન આપ્યું હતું કે તેઓ આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે કામ કરશે, જેનાથી બંને દેશોને ફાયદો થશે અને લોકો વચ્ચેના સહયોગને વધારવામાં મદદ મળશે.

જાન્યુઆરીમાં સભ્ય તરીકે શપથ લીધા

શ્રી થાનેદાર મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં મુખ્યત્વે ડેટ્રોઇટ અને તેના ઉપનગરોનો સમાવેશ થાય છે. તેમણે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય તરીકે શપથ લીધા હતા. વર્તમાન કોંગ્રેસ (સંસદ)માં જોડાનાર તેઓ પાંચમા ભારતીય-અમેરિકન બન્યા છે. અગાઉ ડૉ.અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલ પણ સાંસદ બની ચૂક્યા છે.

આ પણ વાંચો: You Tuber ગૌરવ તનેજાએ રચ્યો ઈતિહાસ, અમેરિકાના આકાશમાં બનાવ્યો ભારતનો નકશો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત પાસે G20નું પ્રમુખપદ

થાનેદારે કહ્યું કે, મને લાગે છે કે ઐતિહાસિક રીતે ભારત-યુએસ સંબંધો એટલો મજબૂત સંબંધ નથી રહ્યા જેટલા હોવા જોઈએ. આપણે બે સૌથી મોટી લોકશાહી છીએ. ભારત પાસે મોટી આર્થિક શક્તિ છે. હવે G20નું પ્રમુખપદ ભારત પાસે છે. ભારતને આ વર્ષે G20ની અધ્યક્ષતા મળી છે. ખાસ વાત એ છે કે ભારતે સંગઠનમાં અનેક ફેરફારો પર ધ્યાન આપવાનું મન બનાવી લીધું છે. આ સંદર્ભે ભારતના વિવિધ રાજ્યોમાં પણ બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભારત અને અમેરિકા બંનેને થશે ફાયદો

થાનેદારનો ગૃહમાં પ્રથમ મહિનો ઐતિહાસિક રહ્યો છે, કારણ કે તેમણે સ્પીકરની પસંદગી માટે 15 વખત મતદાન કર્યું હતું. આ અઠવાડિયે તેમને બે પ્રભાવશાળી હાઉસ કમિટીઓ, સ્મોલ બિઝનેસ અને હોમલેન્ડ સિક્યુરિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતને તેની આર્થિક શક્તિ માટે ઓળખવામાં આવે છે. આનો ફાયદો અમેરિકાને થશે. મને લાગે છે કે, મજબૂત પરસ્પર સંબંધો, વિશ્વાસનો સંબંધ, પરસ્પર આર્થિક સંબંધો, પરસ્પર વેપારથી અમેરિકા અને ભારત બંનેને ફાયદો થશે.

ભારતના G20 નેતૃત્વમાં સમાધાન કેવી રીતે શક્ય?

ભારતની જી20 અધ્યક્ષતામાં ‘वसुधैव कुटुम्बकम’ या ‘एक पृथ्वी एक परिवार एक भविष्य’ના વિષય હાલના વેપારી પડકારો માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે અને વ્યાપાર વિશ્વના પડકારોને પહોંચી વળવા માટે વિશ્વ માટે એક પ્લેટફોર્મ બનાવે છે. જેમ કે બાલીમાં જી20 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા જોર આપવામાં આવ્યું હતું કે ભારતની G20 અધ્યક્ષતા સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને ક્રિયાલક્ષી હશે.

ભારત દ્વારા ઓળખ કરવામાં આવેલી પ્રાથમિકતાઓ દુનિયાની સામે હાજર મહત્વપૂર્ણ મુદ્દાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જી20 દેશની વચ્ચે સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા તરીકે ભારતે વેપાર અને રોકાણ અને ડિજિટલીકરણ જેવા વિસ્તારમાં એક ઉલ્લેખનીય છાપ છોડી છે.

Next Article