Pakistan Economic Crisis : પાકિસ્તાનના 18 અમીરો પાસે અડધું દેવું ચૂકવવા જેટલા પૈસા, જમાત-એ-ઈસ્લામીના વડાએ કહ્યું- દેશ માટે કરો પૈસાનો ત્યાગ

પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે જમાત-એ-ઈસ્લામીના વડા સિરાજુલ હકે કહ્યું છે કે, તેમની પાસે 18 પાકિસ્તાનીઓના નામ છે. જેમના બેંક ખાતામાં 15.52 અબજ ડોલર છે. તેમણે કહ્યું છે કે સંકટના સમયમાં આ લોકોએ દેશ માટે ત્યાગ કરવાની જરૂર છે. આ યાદીમાં રાજકારણીઓ સહિત ઘણા સૈન્ય અધિકારીઓના નામ છે.

Pakistan Economic Crisis : પાકિસ્તાનના 18 અમીરો પાસે અડધું દેવું ચૂકવવા જેટલા પૈસા, જમાત-એ-ઈસ્લામીના વડાએ કહ્યું- દેશ માટે કરો પૈસાનો ત્યાગ
Image Credit source: Google
| Edited By: | Updated on: Feb 28, 2023 | 3:28 PM

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હાલમાં વિદેશી હૂંડિયામણની અછત છે. તે દરમિયાન, જમાત-એ-ઇસ્લામીના વડા સિરાજુલ હકે કહ્યું છે કે તેમની પાસે 18 પાકિસ્તાનીઓની યાદી છે, જેમના બેંક ખાતામાં રૂ. 4,000 બિલિયન (15.52 અબજ ડોલર) છે. આ યાદીમાં રાજકારણીઓ અને સેનાના અધિકારીઓના નામ છે. તેમણે કહ્યું કે ન્યાયાધીશો, સેનાપતિઓ, અમલદારો અને રાજકારણીઓએ અર્થવ્યવસ્થાને સુધારવા માટે બલિદાન આપવું જોઈએ. તેમણે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘આપણા દેશની સંસ્થાઓ આ લોકો પાસેથી પૈસા કાઢવામાં અસમર્થ છે.’

આ પણ વાચો: પાકિસ્તાનમાં ગમે ત્યારે થઈ શકે છે તખ્તા પલટ, લાગી શકે છે આર્મી શાસન, જાણો કારણ

સિરાજુલ હકે કહ્યું કે, પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) સરકારના કાર્યકાળ દરમિયાન મોંઘવારી 34.3 ટકા પર પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું, ‘જો લોટ 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે, તો એક પરિવારનો વડા 12 લોકોને કેવી રીતે ખવડાવી શકે?’ તેમણે કહ્યું કે સરકાર જનતા પર 650 અબજ રૂપિયાનો બોજ નાખવાનું વિચારી રહી છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, ‘આગામી દિવસોમાં સરકાર શ્વાસ લેવા પર પણ ટેક્સ લાદશે.’ તેમણે કહ્યું કે પીડીએમ મોંઘવારીને લઈને પીટીઆઈ સરકાર વિરુદ્ધ રેલીઓ કાઢતી હતી, પરંતુ પીટીઆઈની જેમ પીડીએમ પણ ખરાબ રીતે નિષ્ફળ ગઈ.

IMF પાસેથી લોનની જરૂર છે

સિરાજુલ હકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક પડકારોમાંથી એક સામે લડી રહ્યું છે. પાકિસ્તાનને અર્થવ્યવસ્થાને બચાવવા માટે IMF પાસેથી લોનની જરૂર છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ કહ્યું કે સરકારે અમીરો પાસેથી ટેક્સ લેવો જોઈએ અને જેમને તેની જરૂર છે તેમના પર ખર્ચ કરવો જોઈએ. તેમણે એવા સવાલો પણ ઉઠાવ્યા છે કે શા માટે અમીરોને સબસિડી આપવામાં આવી રહી છે. 22 ટકા પાકિસ્તાનીઓ ગરીબી રેખા નીચે જીવે છે.

અડધી લોન ચૂકવવાના પૈસા

પાકિસ્તાને વર્ષ 2022માં 22 અબજ ડોલરની લોન પરત કરવાની છે. જો સિરાજુલ હકના દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો પાકિસ્તાનના 18 અમીર લોકો પાસે આ વર્ષે અડધુ દેવું ચૂકવી શકે તેટલા પૈસા છે. આમાં તેને IMF સાથે ડીલ કરવાની પણ જરૂર નહીં પડે. યુએનના તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાનના સૌથી ધનિક 1% લોકો પાસે દેશની કુલ આવકના 9% છે, જ્યારે સૌથી ગરીબ લોકો પાસે માત્ર 0.15% છે. દેશના સૌથી અમીર 20 ટકા લોકો પાસે કુલ આવકના 49.6 ટકા છે. તે જ સમયે, 20 ટકા ગરીબ લોકો તેમની પાસે માત્ર 7 ટકા પૈસા રાખે છે.