દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જાણવા છતાં લોકો તેનું સેવન કરે છે, પણ જ્યારે નશો હદ વટાવે ત્યારે શરીર અને મગજ પોતાનું સંતુલન ગુમાવી દે છે. લોકો લથડિયાં ખાવા લાગે છે અને ગમે તેમ બડબડવા લાગે છે. આ બધું કેમ થાય છે? તેની પાછળનું અસલી કારણ મગજની અંદર છુપાયેલું છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમના રિપોર્ટ મુજબ, દારૂ સીધો મગજના સંદેશા વ્યવહાર પર હુમલો કરે છે:
દારૂ માત્ર મગજ જ નહીં, પણ આખા નર્વસ સિસ્ટમને ખોખલું કરી દે છે:
દારૂ શરીરના એન્ડોક્રાઈન સિસ્ટમને પણ તહેસ-નહેસ કરી નાખે છે. તે એવા હોર્મોન્સને અટકાવે છે જે શરીરની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. તેને કારણે થાઈરોઈડ, અસામાન્ય કોલેસ્ટ્રોલ લેવલ અને માનસિક તણાવ સહન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. સંશોધન એમ પણ કહે છે કે દારૂ યુવાનોમાં શારીરિક વિકાસની પ્રક્રિયાને ધીમી કરી શકે છે.
દારૂની એક ચુસ્કી પણ મગજની કાર્યક્ષમતાને અસર કરે છે. લાંબા ગાળે આ આદત મગજની બનાવટમાં કાયમી ફેરફાર કરી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
Disclaimer: દારૂ પીવું સ્વસ્થ માટે હાનિકારક હોયે છે, તેના થી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.