Weight Loss Tips : રસોડામાં હાજર આ 3 વસ્તુઓથી તૈયાર કરો Weight Loss ડ્રિંક, વજનમાં થશે ફટાફટ ઘટાડો

|

May 12, 2022 | 2:27 PM

જો તમારું વજન (Weight)વધું છે અને તમે લાંબા સમયથી તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો આ વખતે અહીં જણાવેલા ઘરેલું ઉપાય અજમાવો. આ તમારું વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Weight Loss Tips : રસોડામાં હાજર આ 3 વસ્તુઓથી તૈયાર કરો Weight Loss ડ્રિંક, વજનમાં થશે ફટાફટ ઘટાડો
રસોડામાં હાજર આ 3 વસ્તુઓથી તૈયાર કરો Weight Loss ડ્રિંક

Follow us on

Weight Loss Tips : આજના સમયમાં સ્થૂળતા એક એવી સમસ્યા બની ગઈ છે, જેના કારણે ઘણા લોકોને સમય પહેલા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્થૂળતા ફક્ત તમારા શરીરને જ નહીં, પરંતુ ઘણી બીમારી (disease)ઓનું કારણ પણ બનાવે છે. જો સ્થૂળતા, થાઈરોઈડ, PCOD વગેરે સાથે કોઈ હોર્મોનલ સમસ્યા હોય તો વજન ઘટાડવું (Weight Loss)એક મોટો પડકાર બની જાય છે. જો તમે પણ સ્થૂળતા ઘટાડવા માટે અનેક ઉપાયો અજમાવીને નિરાશ થયા હોવ તો આ વખતે અજમાવો એક ઘરેલું ઉપાય. આ કરવા માટે તમારે વધારે પ્રયત્નો કરવાની જરૂર નથી. ફક્ત રસોડામાં હાજર ત્રણ સામાન્ય વસ્તુઓને મિક્સ કરીને પીણું તૈયાર કરો. આ પીણું થોડા જ સમયમાં તમારી ચરબી ઓછી કરશે.

વજન ઘટાડવાનું આ પીણું કેવી રીતે તૈયાર કરવું તે જાણો

વજન ઘટાડવાનું પીણું બનાવવા માટે તમારે મેથીના દાણા, કલૌજી અને અજમા ત્રણ વસ્તુઓની જરૂર પડશે.આ માટે ત્રણેય વસ્તુઓને સમાન માત્રામાં લો અને તેને શેકી લો. ત્યાર બાદ તેને ઠંડુ કરો અને તેને પીસીને બારીક પાવડર બનાવી લો. પાવડરને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર નાખો. સવારે ખાલી પેટે ઉઠ્યા પછી તમારે આ પાણીને ગાળીને પીવું જોઈએ. પાણી પીધા પછી લગભગ એક કલાક સુધી કંઈપણ ન ખાવું. દરરોજ આમ કરવાથી, તમે થોડા જ સમયમાં ફરક દેખાવા લાગશો. પીણું બનાવવા માટે તમે એકસાથે મોટી માત્રામાં પાવડરને પીસી શકો છો.

જાણો શા માટે આ પીણું વજન ઘટાડવામાં મદદરૂપ છે

1- મેથીના દાણા

મેથીના દાણાનો ઉપયોગ વજન ઘટાડવાની દવા તરીકે થાય છે. મેથીમાં કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, એમિનો એસિડ, ઝિંક, સોડિયમ જેવા તમામ પોષક તત્વો હોય છે, જે વજન ઘટાડવાની સાથે પાચનતંત્ર માટે પણ સારા ગણાય છે. તે વાળ, ત્વચા અને ડાયાબિટીસની સમસ્યામાં પણ રાહત આપે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

2- કલોંજી

ચરબી બર્ન કરવા માટે પણ કલોંજીનાં બીજ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, હાઈ બીપી, માથાનો દુખાવો, સાંધાના દુખાવામાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ કલોંજીનાં બીજ મદદરૂપ માનવામાં આવે છે.

3- અજમો

વજન અને પેટ ઘટાડવાની સાથે, અજમો પેટની તમામ સમસ્યાઓનું નિદાન પણ કરે છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી ગેસ, એસિડિટી વગેરેની સમસ્યા દૂર થાય છે. જો તમે દરરોજ ખાલી પેટે માત્ર અજમાનું પાણી પીશો તો પણ લગભગ 20 દિવસમાં તમને સ્થૂળતામાં ફરક દેખાવા લાગશે.

ધ્યાનમાં રાખો : જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે, તો આ પીણુંનો ઉપયોગ કરતા પહેલા એક વખત નિષ્ણાતની સલાહ લો, જેથી તમારા માટે કોઈ સમસ્યા ન વધે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article