
ગરમીમાં તાપમાન વધતા શરીરને પોતાનું તાપમાન જાળવી રાખવા ખૂબ મહેનત કરવી પડે છે. આવા સમયે બીજ (Seeds) પોષક તત્વોનો પાવરહાઉસ સાબિત થાય છે. તેમાં ફાઈબર, પ્લાન્ટ પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર હોય છે. તે પરસેવો દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ કરે છે અને પાચનતંત્રને શાંત રાખે છે.
ચિયા સીડ્સ પોતાના વજન કરતા 10 ગણું પાણી સોષી લે છે, જે શરીરમાં ધીમે ધીમે ભેજ મુક્ત કરે છે. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ગરમીથી થતા ત્વચાના રોગો અને થાકને રોકવામાં મદદ કરે છે.
આયુર્વેદ મુજબ વરિયાળી ‘પિત્ત’ શાંત કરે છે. સવારે વરિયાળીનું પાણી પીવાથી પેટની ગરમી, ગેસ અને સોજામાં રાહત મળે છે. તે કિડનીના ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદરૂપ છે.
કાકડીના બીજમાં સિલિકા અને પાણી ભરપૂર હોય છે. યુનાની ચિકિત્સામાં તેને સૌથી ઠંડા પદાર્થોમાં ગણવામાં આવે છે. તે આંતરડાને અંદરથી ભેજ આપે છે અને કિડની તેમજ પેશાબ સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે.
તકમરિયાને પાણીમાં પલાળવાથી તે જેલ જેવી પડ બનાવે છે. આ જેલ પેટના અંદરના પડને ઠંડુ રાખે છે. તે આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર છે, જે એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યાને જડમૂળથી મટાડે છે.
આ બીજમાં મેગ્નેશિયમ, ઝિંક અને સિટ્રુલિન હોય છે, જે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને ગરમીના કારણે આવતા થાકને દૂર કરે છે. આ બીજ હાર્ટ અને સ્કીન માટે પણ બેસ્ટ છે.
ખસખસમાં પેઈનકિલર ગુણો હોય છે. ગરમીના કારણે થતી ચિડિયાપણું અને અનિદ્રા (Insomnia) દૂર કરવા માટે ખસખસની પેસ્ટને દૂધ કે કોલ્ડ ડ્રિંકમાં નાખીને પીવાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે.
ભલે આ બીજ ફાયદાકારક છે, પણ તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોવ, તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.