
રસોડામાં વપરાતા તેલને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે. એક તરફ ઓલિવ ઓઈલને હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, તો બીજી તરફ સરસવનું તેલ ભારતીય રસોઈનો ખાસ ભાગ છે. આવા સમયમાં સવાલ એ ઊભો થાય છે કે, આખરે હાર્ટ હેલ્થ માટે કયું તેલ વધુ ફાયદાકારક છે?
ઓલિવ ઓઈલ મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે. તેમાં પોલીફેનોલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે. આ તેલ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરી શકે છે. ઘણા સંશોધનોમાં તેને હૃદય રોગના જોખમને ઘટાડવા સાથે જોડવામાં આવ્યું છે.
સરસવના તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટની સાથે ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે. ઓમેગા-3 શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરી શકે છે. ભારતીય ભોજન અને પરંપરાગત વાનગીઓ માટે તેને યોગ્ય માનવામાં આવે છે.
વૈજ્ઞાનિક સંશોધનોના આધારે જોઈએ તો, વર્જિન ઓલિવ ઓઈલ હૃદયના સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. જો કે, કોલ્ડ-પ્રેસ્ડ સરસવનું તેલ પણ સંતુલિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો હૃદય માટે ફાયદાકારક હોઈ શકે છે. ખાસ કરીને ભારતીય ખાનપાનમાં આ એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
હૃદયનું સ્વાસ્થ્ય માત્ર તેલ પર જ નિર્ભર નથી કરતું પરંતુ તે તમારી સમગ્ર જીવનશૈલી પર આધાર રાખે છે. સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને મર્યાદિત માત્રામાં યોગ્ય તેલનો ઉપયોગ એ જ સ્વસ્થ હૃદયની ચાવી છે.