આજના સમયની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વજન વધવું કે સ્થૂળતા હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે. વજન વધવાથી માત્ર સ્વાસ્થ્ય (Health) સંબંધી સમસ્યાઓ જ નથી થતી, તે વ્યક્તિના સમગ્ર દેખાવને પણ બગાડે છે. જ્યારે વજન વધે છે, ત્યારે લોકો મોંઘા ડાયટ પ્લાન અને યોગા કે કસરતમાં વધુ સમય પસાર કરવા લાગે છે. આ પદ્ધતિથી કેટલાક લોકોને ફાયદો થઈ શકે છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકોને સખત મહેનત કર્યા પછી પણ ઈચ્છિત પરિણામ મળતું નથી. તેના માટે તમારા ડાયટની પંસદગી અને કસરત કરવાની પદ્ધતિ પર ધ્યાન આપવુ જરુરી છે. વજન ઘટાડવાની (weight loss) ડાયટ અને કસરતની રીતમાં નાની ભૂલને કારણે પણ ઈચ્છિત પરિણામ મળતું નથી.
લોકો ઘણીવાર ડાયટમાં એવી ભૂલો કરે છે, જેને કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે. ચાલો જાણીએ એવા ઉપાયો વિશે જેને અપનાવીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો અને સ્વસ્થ પણ રહી શકો છો.
સામાન્ય રીતે લોકો ભોજન લેતી વખતે ટીવી જોવા, વાત કરવા અને ફોન વાપરવા જેવી પ્રવૃત્તિઓ કરે છે. નિષ્ણાતોના મતે જમતી વખતે ધ્યાન ન આપવાને કારણે આપણી એનર્જી વેડફાઈ જાય છે. ખાવાની આ ખોટી રીત આપણને બિનઆરોગ્યપ્રદ બનાવે છે.
જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ, ત્યારે તેમાં આપણી ઉર્જાનો વ્યય થાય છે. જમતી વખતે અન્ય વસ્તુઓમાં વ્યસ્ત રહેવાથી ઊર્જા વપરાય જાય છે અને તેના કારણે તે વેડફાઈ જાય છે. એક સાથે અનેક કામ કરવાથી કોઈ કામ પૂરું થતું નથી અને આપણને સંતોષ પણ થતો નથી. આપણે ખોરાક ખાતી વખતે ફક્ત આ તરફ ધ્યાન આપવું જોઈએ. આમ કરવાથી તમને ખબર પડશે કે તમારે કેટલો ખોરાક ખાવાનો છે. ઉપરાંત, ખોરાકને યોગ્ય રીતે ચાવવાથી, તે માત્ર પચવામાં સક્ષમ નથી, પરંતુ શરીર પણ તેને ખાવા માટે સક્ષમ બનશે.
ધ્યાનથી ખોરાક ન ખાવાથી મનનું ધ્યાન પાચનની પ્રક્રિયામાંથી હટી જાય છે અને તેનાથી નુકસાન થાય છે. યોગ્ય રીતે ખાવા ઉપરાંત શરીરને સક્રિય રાખવુ પણ જરૂરી છે. આ માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ.