શું તમારું શરીર વારંવાર થાકી જાય છે ? લોહીમાં રક્તકણો ઘટવા પાછળ હોઈ શકે છે આ ગંભીર કારણો

શરીરમાં રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સ (RBC) નું પ્રમાણ ઘટવું એ માત્ર નબળાઈ નથી પણ અનેક રોગોનું મૂળ છે. જેને એનીમિયા કહેવામાં આવે છે તે સ્થિતિથી બચવા માટે આહારમાં થોડા ફેરફાર અને જીવનશૈલીમાં સુધારો પૂરતો છે. જાણો રક્તકણો વધારવાનું આખું ગણિત.

શું તમારું શરીર વારંવાર થાકી જાય છે ? લોહીમાં રક્તકણો ઘટવા પાછળ હોઈ શકે છે આ ગંભીર કારણો
Image Credit source: AI
| Updated on: May 12, 2026 | 2:20 PM

આપણા શરીરમાં લોહીનો એક અત્યંત મહત્વનો હિસ્સો એટલે રક્તકણો (Red Blood Cells). આ સેલ્સ ફેફસાંમાંથી ઓક્સિજન લઈને શરીરના દરેક અંગ સુધી પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઈડને પાછો લાવે છે. ટૂંકમાં કહીએ તો, તમારી એનર્જી અને સ્ફૂર્તિનો સીધો સંબંધ આ રક્તકણો સાથે છે. જ્યારે તેની સંખ્યા ઘટે છે ત્યારે મેડિકલ ભાષામાં તેને એનીમિયા કહેવામાં આવે છે.

રક્તકણો ઓછા હોય તો કેવી રીતે ખબર પડે?

જ્યારે શરીરમાં RBC ની માત્રા ઘટે છે ત્યારે શરીર ઓક્સિજન માટે તરસે છે. તેના લક્ષણો નીચે મુજબ જોવા મળે છે:

  • સતત થાક અને નબળાઈ લાગવી.
  • થોડું ચાલવા પર કે કામ કરવા પર શ્વાસ ફૂલવા.
  • મગજ સુધી પૂરતો ઓક્સિજન ન પહોંચવાને કારણે માથાનો દુખાવો કે ચક્કર આવવા.
  • હાથ અને પગ વારંવાર ઠંડા પડી જવા.
  • ત્વચા, ચહેરો અને હોઠનો રંગ ફીકો કે પીળો પડી જવો.
  • હૃદયના ધબકારા અસામાન્ય રીતે તેજ થવા.

રક્તકણો કુદરતી રીતે વધારવાના અકસીર ઉપાયો

  • આયર્નયુક્ત આહાર: આયર્ન રક્તકણો બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ માટે આહારમાં બીટ, પાલક, દાડમ, ગોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને મખાનાનો સમાવેશ કરવો જોઈએ.
  • ફોલેટ અને વિટામિન B12: આ બંને વિટામિન્સ રક્તકણોના નિર્માણ માટે અનિવાર્ય છે. ઈંડા, દૂધ, દહીં, કેળા, દાળ અને બ્રોકોલી ખાવાથી તેનું સ્તર જળવાઈ રહે છે.
  • વિટામિન C નું મહત્વ: તમે ગમે તેટલું આયર્ન ખાઓ પરંતુ જો શરીરમાં વિટામિન C નહીં હોય તો આયર્ન શોષાશે નહીં. આ માટે આમળા, લીંબુ, સંતરા અને ટામેટા જેવી ખાટી વસ્તુઓ લેવી જરૂરી છે.
  • હાઈડ્રેશન: દિવસમાં ઓછામાં ઓછું ૩ લિટર પાણી પીવું જોઈએ. પૂરતું પાણી પીવાથી લોહીનું ભ્રમણ સુધરે છે અને રક્તકણોનો પ્રવાહ બરાબર રહે છે.
  • યોગ અને વ્યાયામ: કસરત કરવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે જે નવા રક્તકણો બનાવવામાં મદદ કરે છે. ખાસ કરીને પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરવાથી લોહીની શુદ્ધિ અને વૃદ્ધિ બંને થાય છે.

લોહીની ઉણપને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. સાચો આહાર અને સક્રિય જીવનશૈલી તમને આ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવી શકે છે.

શું તમને પણ સતત થાક લાગે છે ? સામાન્ય નબળાઈ માનીને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, નિષ્ણાતોએ આપી ચેતવણી

Follow Us