રોજ બે ખજૂર ખાવાથી શું થાય છે? જાણો ખજૂર ખાવાનો યોગ્ય સમય ક્યો છે?

હેલ્થ સ્પેશ્યાલિસ્ટ અને સર્ટિફાઈડ મેનોપોઝ કોચ નિધિ કક્કડે દરરોજ બે ખજૂર ખાવાના ફાયદા શેર કર્યા છે. ચાલો તેમના વિશે જાણીએ, અને એ પણ જાણીએ કે તેમને ખાવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે.

રોજ બે ખજૂર ખાવાથી શું થાય છે? જાણો ખજૂર ખાવાનો યોગ્ય સમય ક્યો છે?
| Updated on: Dec 02, 2025 | 7:43 PM

ખજૂર એક એવુ ડ્રાયફ્રુટ છે જે સ્વાદની સાથેસાથે સ્વાસ્થ્ય માટે પણ સારુ માનવામાં આવે છે. તેમાં ફાઇબર, આયર્ન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ સહિત અનેક પોષક તત્વો સારી માત્રામાં હોય છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમારા દૈનિક આહારમાં ખજૂરનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. વુમન હેલ્થ સ્પેશ્યાલિસ્ટ અને પ્રમાણિત મેનોપોઝ કોચ નિધિ કક્કડે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં, તે દરરોજ બે ખજૂર ખાવાના ફાયદા સમજાવે છે. ચાલો તેના વિશે જાણીએ, અને એ પણ જાણીએ કે ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે.

રોજ ખજૂર ખાવાના ફાયદા

સ્થિર ઊર્જા મળે છે:

નિધિ કક્કરે સમજાવ્યું કે ખજૂર ખાવાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળે છે. આનું કારણ એ છે કે ખજૂરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, એટલે કે તે બ્લડ સુગર ઝડપથી વધારતી નથી પરંતુ શરીરમાં ધીમે ધીમે રિલિઝ થાય છે, જે લાંબા સમય સુધી ચાલતી ઉર્જા પૂરી પાડે છે. તેથી, જેમને દિવસભર સક્રિય રહેવાની જરૂર હોય છે તેમના માટે તે એક ઉત્તમ નાસ્તો બની શકે છે.

આંતરડા માટે ફાયદાકારક

ખજૂર એક નેચરલ પ્રીબાયોટિક તરીકે કાર્ય કરે છે. તે આપણા આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે. તેનાથી પાચનમાં સારુ રહે છે અને પેટ સંબંધી સમસ્યાઓ ઘટાડે છે. જે લોકોને વારંવાર પેટનું ફૂલવું કે ગેસ થતો હોય છે તેમણે ચોક્કસપણે ખજૂર ખાવી જોઈએ.

કબજિયાતમાંથી રાહત

ખજૂરમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબર આંતરડાની ગતિમાં સુધારો કરે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે. તેથી, સવારે બે ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત

ખજૂર એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે શરીરમાં સંચિત ફ્રી રેડિકલને ઘટાડે છે. તેનાથી લિવર હેલ્થ સારુ રહે છે અને શરીરમાં થનારી જલનને ઘટાડ છે.

બોડી ડિટોક્સમાં મદદ

નિધિ કક્કડના મતે, ખજૂર શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આનો અર્થ એ છે કે તે હળવા ડિટોક્સ ખોરાક તરીકે કાર્ય કરે છે, શરીરને અંદરથી શુદ્ધ કરવામાં મદદ કરે છે.

ખજૂર ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

સંપૂર્ણ લાભ મેળવવા માટે, સવારે ખાલી પેટે બે ખજૂર ખાવાનું શ્રેષ્ઠ છે. આનાથી દિવસભર ઉર્જા મળે છે, પાચનમાં સુધારો થાય છે અને શરીરને ફાઇબર સરળતાથી શોષવામાં મદદ મળે છે. આ રીતે, તમારા આહારમાં દરરોજ ફક્ત બે ખજૂર ઉમેરવાથી તમે તમારા દિવસની શરૂઆત સ્વસ્થ રીતે કરી શકો છો.

Diclaimer: આ સામગ્રી, ફક્ત સામાન્ય જાણકારી પર આધારીત છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. TV9 આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.

જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?

Published On - 7:27 pm, Tue, 2 December 25