Health Tips : પેટની ચરબી ઓછી કરવા આયુર્વેદના આ 9 નુસખા અજમાવી જુઓ

|

Aug 14, 2021 | 7:16 PM

આપણા આયુર્વેદમાં નાની બીમારીથી લઈને મોટા અસાધ્ય રોગોના ઈલાજ બતાવવામાં આવ્યા છે. જે ખુબ અસરકારક પણ છે. અમે તમને બતાવીશું પેટની ચરબી ઓછી કરવાના 9 આયુર્વેદિક નુસખા. જેને અજમાવીને તમે પણ ફરક જોઈ શકો છો.

Health Tips : પેટની ચરબી ઓછી કરવા આયુર્વેદના આ 9 નુસખા અજમાવી જુઓ
Health Tips: Try these 9 Ayurvedic recipes to reduce belly fat

Follow us on

આજની બદલાયેલી લાઈફસ્ટાઈલમાં મેદસ્વીપણું એક સર્વસામાન્ય સમસ્યા બની ગઈ છે. એક વાર જો વજન વધી જાય પછી તેને ઓછું કરવું સહેલું નથી. ખાસ કરીને શરીરના બધા અંગો કરતા પેટની ચરબી ઘટાડવી વધુ મુશ્કેલ કામ છે. તમે ગમે તેટલી મહેનત કરો, પેટની ચરબી ઓછી થતી નથી. પરંતુ કેટલાક ખૂબ જ સરળ આયુર્વેદિક ઉપાયોથી પેટની ચરબી સહેલાઇથી ઘટાડી શકાય છે.

જો તમે જિમમાં જઈને કે કસરત કરીને પણ વજન ઉતારવામાં નિષ્ફ્ળ ગયા છો તો હવે ચિંતાની કોઈ વાત નથી. અમે તમને અહીં બતાવીશું આયુર્વેદના 9 ઉપાયો જેને અનુસરીને તમે પેટની ચરબી ઓછી કરી શકો છો. આપણા આયુર્વેદમાં દરેક શારીરિક તકલીફોનો સચોટ ઉપાય બતાવવામાં આવ્યા છે. જેની સામાન્ય રીતે કોઈ આડઅસર પણ થતી નથી. જરૂર છે તેનું યોગ્ય રીતે પાલન કરવાની.

પેટની ચરબી ઓછી કરવાના 9 આયુર્વેદિક નુસખા 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

1. બપોરના સમયે 50 ટકા કેલરીયુક્ત ખોરાક લો. આયુર્વેદ મુજબ આ સમયે પાચન શક્તિ વધારે હોય છે. રાત્રિ ભોજનમાં ઉચ્ચ કેલરીવાળા ખોરાક ટાળો. સાંજે 6 વાગ્યા પહેલા ભોજન કરો.

2. પેટની ચરબી ઓછી કરવા માટે ખોરાકની સૂચિમાંથી શુદ્ધ કાર્બોહાઈડ્રેટને બાકાત રાખો, જેમ કે ખાંડયુક્ત પીણાં, મીઠાઈઓ, બ્રેડ, બિસ્કિટ, તેલયુક્ત ખોરાક.

3. સવારે ખાલી પેટે મેથી સાથે મિશ્રિત પાણી પીઓ. એવામાં મેથીને આગલી રાત્રે પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે મેથી પલાળેલું પાણી પીઓ. જો નહીં, તો તમે પાણીમાં મેથીનો પાવડર મિક્સ કરીને ખાઈ શકો છો.

4. આયુર્વેદ અનુસાર આમલી ખાવાથી પણ પેટની ચરબી ઓછી થઈ શકે છે. તેનાથી જીભનો સ્વાદ વધે છે. પાચનશક્તિ વધારે છે. વજનમાં ઘટાડો થાય છે.

5. શરીરમાંથી ઝેર દૂર કરવા માટે આહારમાં ત્રિફળા ઉમેરો. પાચન પ્રક્રિયા સુધારે છે. રાત્રે જમ્યા પછી, એક ચમચી ત્રિફળા નવશેકું પાણીમાં મિક્સ કરીને ખાઓ.

6. સૂકા આદુ પાવડર ચરબીને પચાવવામાં મદદ કરે છે. ગરમ પાણી સાથે મિશ્રિત ખાઓ. પાચનશક્તિ વધશે. વધારાની ચરબી ઓછી થશે. જો તમારી પાસે ઘરમાં સૂકા આદુનો પાવડર ન હોય તો કઢીમાં આદુ ઉમેરો. તમે તેને ચા સાથે પણ પી શકો છો.

7. તમારા પેટ પર હાથ રાખીને નિયમિતપણે 30 મિનિટ સુધી ચાલો. તે પણ ફાયદો કરાવે છે.

8. તમારી તરસ છીપાવવા માટે ઠંડુ પાણી ન પીવો. ગરમ પાણી પીઓ. તેનાથી પાચન પણ વધે છે.

9. આયુર્વેદ કહે છે, ખોરાકને સારી રીતે ચાવવાથી વજન વધતું નથી.

નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો :

Health Tips : ચોમાસામાં સારા સ્વાસ્થ્ય માટે આ ફૂડને કરો ડાયટમાં સામેલ

Health tips: જાણો સ્વાસ્થ્ય માટે શું છે સારું ? સ્વીટ કોર્ન કે દેશી મકાઈ

 

Published On - 6:59 pm, Sat, 14 August 21

Next Article