Health Tips: પાંચનશક્તિ સાથે જોડાયેલી આ પાંચ 5 અફવાઓ પર તમે પણ કરો છો વિશ્વાસ? જાણો શું છે સત્ય

|

Jul 28, 2021 | 7:16 AM

સ્વસ્થ શરીર માટે પાચક સિસ્ટમ સારી હોવી જોઈએ. જો તમારી પાસે પાચક શક્તિ નબળી હોય તો કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો અને ખેંચાણની સમસ્યાઓ આવી શકે છે. આ સિવાય તમે પાચક તંત્રને લગતી ઘણી ગેરસમજો વિશે સાંભળ્યું હશે. ચાલો જાણીએ સત્ય.

Health Tips: પાંચનશક્તિ સાથે જોડાયેલી આ પાંચ 5 અફવાઓ પર તમે પણ કરો છો વિશ્વાસ? જાણો શું છે સત્ય
Do you believe in these 5 myths related to digestion?

Follow us on

સારા સ્વાસ્થ્ય (Health) માટે, પાચક સિસ્ટમ (Digestive system) સારી હોવી જોઈએ. ઘણા જાણે છે કે પોષક ખોરાક ખાવાથી આપણા શરીરમાં એનર્જી આવે છે. આ એનર્જી બનાવવાનું કામ પાચક તંત્ર (Digestive system) દ્વારા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તમારું પાચન સારું છે તો તમને કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય. પરંતુ જીવનશૈલી નબળી હોવાને કારણે અને બહારના બિનઆરોગ્યપ્રદ અને જંક ફૂડ ખાવાથી (Junk Food) આપણી પાચક શક્તિ નબળી પડી જાય છે. જેને કારણે કબજિયાત, અપચો, ગેસ સહિ‌ત અન્ય રોગો થાય છે.

આપણી જીવનશૈલીને (Lifestyle) લીધે, આપણી પાચક શક્તિમાં ઘણા ફેરફારો થાય છે. જ્યારે પણ આપણે કંઇક નવું ખાઈએ છીએ, ત્યારે આપણી પાચક સિસ્ટમ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. આ સિવાય પાચક તંત્ર વિશે અનેક પ્રકારની દંતકથાઓ કે વાતો તમે પણ સાંભળી હશે. જેના પર આપણે સરળતાથી વિશ્વાસ કરી લઈએ છીએ. ચાલો જાનોએ શું છે સત્ય.

કાચી શાકભાજી ખાવી દરેક માટે ફાયદાકારક

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કાચી શાકભાજી ખાવી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આ દરેક માટે સારું નથી. જે લોકોની પાચક શક્તિ નબળી હોય છે તેમણે કાચા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. આને લીધે, પેટ ફૂલવું, ખેંચાણ અને પીડા થવાની ફરિયાદો આવે છે. આવા લોકોએ રાંધેલા શાકભાજી ખાવા જોઈએ.

પેટ ફૂલવું અને ખેંચાણ સામાન્ય છે

પેટ ફૂલવું અને ખેંચાણ સામાન્ય નથી. તે તમારા નબળા પાચન સાથે સંબંધિત છે. સામાન્ય રીતે લોકો તેને એક સામાન્ય વસ્તુ માને છે. પરંતુ આ પાછળનું કારણ બળતરા અને તમારા આંતરડામાંના અન્ય રોગો હોઈ શકે છે. તેથી આવી સ્થિતિમાં તરત ડોક્ટરને બતાવવું જોઈએ.

શરીરમાં પ્રોબાયોટીક્સ હોવી જોઇએ

ઘણા લોકો વિચારે છે કે શરીરમાં પ્રોબાયોટિક લેવાનો અર્થ છે કે તમે કોઈપણ માત્રામાં કોઈપણ રીતે તે ખાઈ શકો છો. કારણ કે પ્રોબાયોટીક્સ ફૂગ અને બેક્ટેરિયલ ચેપ સામે લડવામાં મદદ કરે છે. પરંતુ જો કોઈને આંતરડામાં ડિસબાયોસિસ હોય, તો આવી વસ્તુઓ શરીરમાં અગ્નિની જેમ કામ કરે છે. પ્રોબાયોટીક ખોરાક ખાવાથી હિસ્ટામાઇનવાળા લોકોને પણ નુકસાન થઈ શકે છે.

મસાલેદાર ચીજો અલ્સરનું કારણ

કેટલાક લક્ષણો મસાલાવાળા ખોરાકને કારણે દેખાઈ શકે છે પરંતુ તેનાથી અલ્સર થતું નથી. પેટના અલ્સર મુખ્યત્વે હેલિકોબેક્ટર પાયલોરી બેક્ટેરિયાથી થાય છે.

તમે જેટલું વધારે ફાઇબર ખાવ તેટલું વધુ સારું

ડાયેટરી ફાઇબર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે ઇરિટેબલ બાઉસલ સિન્ડ્રોમ (IBS) થઈ શકે છે. દરરોજ 25 થી 30 ગ્રામ ફાઇબરનું સેવન કરવું જોઈએ. વધારે માત્રામાં ફાઈબરનું સેવન કરવાથી આંતરડા ફૂલવા, ખેંચાણ, ગેસ વગેરે જેવી સમસ્યાઓ થાય છે.

 

આ પણ વાંચો: ઘાસ પર ખુલ્લા પગે ચાલવાના ઘણા ફાયદા છે એવું તો તમે સાંભળ્યું હશે, પણ આજે જાણો શું છે આ ફાયદા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 2:08 pm, Tue, 27 July 21

Next Article