
દુનિયાભરના સંશોધકો વર્ષોથી કેન્સર પાછળના કારણો શોધી રહ્યા છે, ત્યારે મિયામી યુનિવર્સિટીના ‘સિલ્વેસ્ટર કોમ્પ્રીહેન્સિવ કેન્સર સેન્ટર’ના એક તાજેતરના અભ્યાસે દુનિયાને ચોંકાવી દીધી છે. 40 લાખથી વધુ કેસોના વિશ્લેષણ બાદ રિસર્ચર્સે દાવો કર્યો છે કે જે લોકો ક્યારેય લગ્ન નથી કરતા, તેમનામાં પરિણીત લોકોની સરખામણીએ કેન્સરનું જોખમ ઘણું વધારે રહેલું છે. આ રિપોર્ટ ખાસ કરીને જેઓ એકલા રહેવાનું પસંદ કરે છે તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે અપરિણીત લોકોમાં ‘હ્યુમન પેપિલોમા વાયરસ’ (HPV) ને કારણે થતા કેન્સરનું જોખમ ટોચ પર છે. અભ્યાસ મુજબ:
આ સિવાય ફેફસાં, લિવર અને પેટના કેન્સરના કિસ્સાઓ પણ અપરિણીત લોકોમાં વધારે નોંધાયા છે.
નિષ્ણાતોના મતે, આ અભ્યાસનો અર્થ એ નથી કે લગ્ન કરવાથી કેન્સર મટી જાય છે. આ એક ‘ઓબ્ઝર્વેશનલ સ્ટડી’ છે. ડોક્ટરોનું કહેવું છે કે લગ્ન એ માત્ર એક સામાજિક માળખું નથી, પરંતુ તે જીવનશૈલી અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ સાથે જોડાયેલું છે. પરિણીત લોકોમાં ધૂમ્રપાન, દારૂની લત અને ખરાબ ડાયેટની શક્યતા ઓછી હોય છે. વળી, જીવનસાથી એકબીજાને રેગ્યુલર હેલ્થ ચેકઅપ અને સ્ક્રીનિંગ માટે પ્રોત્સાહિત કરતા હોય છે, જે બીમારીને વહેલી ઓળખવામાં મદદ કરે છે.
તમે પરિણીત હોવ કે ન હોવ, કેન્સરના જોખમને ઘટાડવા માટે નિષ્ણાતો આ સલાહ આપે છે:
નિષ્કર્ષ એ છે કે, લગ્ન સીધી રીતે કેન્સર સામે રક્ષણ નથી આપતા, પરંતુ લગ્નજીવન સાથે જોડાયેલું સામાજિક અને ભાવનાત્મક સમર્થન વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરે છે. જે લોકો એકલા રહે છે, તેમણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સતર્ક રહેવાની અને નિયમિત તપાસ કરાવવાની જરૂર છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati તેને સમર્થન આપતું નથી. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.