Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા

|

Apr 14, 2021 | 4:08 PM

Corona Virus: આ કોરોના કાળમાં સૌથી વધારે જે વસ્તુ પર ભાર આપવામાં આવે છે તે છે આપણી રોગપ્રતિકારક શક્તિ. કેમકે આ જ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બિમારી સામે આપણાને બચાવે છે.

Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા
Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા

Follow us on

Corona Virus: આ કોરોના કાળમાં સૌથી વધારે જે વસ્તુ પર ભાર આપવામાં આવે છે તે છે આપણી રોગપ્રતિકારક શક્તિ. કેમકે આ જ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બિમારી સામે આપણાને બચાવે છે. અગર ઈમ્યુન(Immune) બરાબર હશે તો ફેફસા, કીડની અને લિવર સાથેનાં સંક્રમણથી પણ બચાવ શક્ય છે. હવે એવામાં સવાલ એ છે કે આપણાને ખબર કઈ રીતે પડશે કે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી છે?

વારે વારે બિમાર પડી જવું

અગર તમે બિમાર જ રહો છો અને વારે વારે બિમાર પડી જાવ છો, શરીરમાં કમજોરી રહે છે તો સમજી જજો કે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ કમજોર છે. અમુક લોકોમાં એમ હોય છે કે સિઝન બદલાતા જ શરદી-ખાંસી અને તાવની સમસ્યા થતી હોય છે અને તે પણ તમારી નબળી ઈમ્યુનિટી તરફ ઈશારા કરે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હંમેશા થાક અને આળસ અનુભવાવવી

અગર તેમને શરીરમાં હંમેશા થાક અને આળસ અનુભવાય છે, શરીરમાં દુખાવો રહે છે તો એ દર્શાવે છે કે તમારી ઈમ્યૂનિટી નબળી છે. આ સિવાય સવારે ઉઠીને તાજગી ન અનુભવાવવી, એનર્જી લેવલ ઓછુ રહેવું એ પણ તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ તરફ ઈશારો કરે છે.

ઘા ભરાવામાં સમય લાગવો

અગર તમારા શરીરમાં કોઈ જગ્યા પર વાગ્યું છે અને તે ભરાવામાં અન્ય લોકોની તુલનામાં વધારે સમય જાય છે તો સમજી લોકે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. જે લોકોની ઈમ્યૂન સિસ્ટમ મજબુત હોય છે તેમના ઘા પર તરત જ રૂઝ જલ્દી આવી જતી હોય છે કે જે શરીરમાંથી વધારે લોહી નિકળતા અટકાવે છે.

પેટ સંબંધી સમસ્યાઓ સર્જાવી

મોટા ભાગે જોવામાં આવ્યું છે કે જેમની ઈમ્યૂન નબળી હોય છે તેમનું પાચન તંત્ર પણ નબળું હોય છે. આવામાં તે લોકોને ઝાડા, ગેસ, સોજો આવી જવો, કબજીયાતની હંમેશા ફરિયાદ રહેતી હોય છે. આ સિવાય પણ ચિડિયાપણું અનુભવવું પણ નબળી ઈમ્યૂન સિસ્ટમ તરફ ચાડી ખાય છે.

નોંધ- આ એક તજજ્ઞ તબિબ પાસેથી મેળવવામાં આવેલી માહિતિ છે. વાચકોને વધારે વિગતો મળી રહે તે માટેનો પ્રયાસ છે. બાકી પોતાના તજજ્ઞ ડોક્ટરને પણ કન્સલ્ટ કરવા જરૂરી છે.

Published On - 4:02 pm, Wed, 14 April 21

Next Article